મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું
મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું
SHARE
મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું
મોરબીના જલારામ ધામ ખાતે મોરબી મહાનગરપાલીકાના મેયર ઉતમભાઈ સુરાણી, ડે.મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સહીતના ચૂંટાયેલ સભ્યો સહિતના હાજર રહ્યા હતા અને જલારામ બાપાની દર્શન તેમજ આરતીનો લાભ લીધો હતો. ત્યાર બાદ જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં નવનિયુક્ત પદાધિકારીઓએ પોતાના હસ્તે પ્રસાદનું વિતરણ કરીને ધન્યતા અનુભવી હતી. આ તકે મોરબી મહાનગરપાલીકા વોર્ડ નં-૭ ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, જયેશભાઈ દેસાઈ, મમતાબેન ઠાકર અને જલ્પાબેન સોનગ્રા તેમજ ગીરીશભાઈ ઘેલાણી તેમજ તેઓની ટિમ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. અને મનપાના નવનિયુક્ત પદાધિકારીઓનું અભિવાદન કર્યું હતું. તેવી માહિતી નિર્મિત કક્કડે આપી છે.