ફાયરિંગ કા બદલા ફાયરિંગ: માળીયા મીયાણામાં ઘરના ફળિયામાં બેઠેલા ટ્રાન્સપોર્ટ ઉપર જુની અદાવતનો ખાર રાખીને ફાયરિંગ કરીને હત્યા મોરબીના ખારચીયા ગામે અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબી સ્પામાં ગયેલ યુવાનને મસાજ ૧૯ લાખમાં પડ્યો, મહિલા સહિત ત્રણ સામે હનીટ્રેપની ફરિયાદ વાંકાનેરમાંથી ડુપ્લીકેટ નંબર પ્લેટ વાળા બુલેટ સાથે એક શખ્સ પકડાયો માળીયા (મી)ના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો: બીજા 4 મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો હળવદના ટીકર ગામે રેતી માફિયા ઉપર રેન્જ આઇજીની ટિમ ત્રાટકી: ૮૦ લાખનો મુદામાલ કબ્જે આયુષ્માન ભારત-PMJAY યોજના આશીર્વાદ સમાન: મોરબીની ખાનગી હોસ્પિટલમાં વીરપરના મહિલાની તદ્દન મફત ડિલિવરી વાંકાનેરમાં લગ્ન કરવા ઘર છોડી નીકળેલી ૧૭ વર્ષની કિશોરીનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

માળીયા મીયાણાના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના 13 છતરની ચોરી


SHARE











માળીયા મીયાણાના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના 13 છતરની ચોરી

માળીયા મીયાણા તાલુકાના જુના નાના દહીસરા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યાં માતાજી ઉપર રાખવામાં આવેલા ચાંદીના નાના મોટા 13 છતરની ચોરી કરવામાં આવેલ છે જેથી 40 હજાર રૂપિયાની કિંમતના ચાંદીની ચોરી થઈ હોવાની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા ગજેન્દ્રભાઈ પ્રવીણભાઈ ભાડજા (36) એ અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, જૂના નાના દહીસરા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને મંદિરમાં માતાજી ઉપર ચઢાવવામાં આવેલા ચાંદીના નાના-મોટા કુલ મળીને 13 છતર જેનો કુલ વજન 400 ગ્રામ થાય છે તે 40,000 ની કિંમતના ચાંદીના છત્તરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો મોદીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News