મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા


SHARE







કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ માળિયા (મી) તાલુકાના હરીપર ગામ નજીક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બનાવ બન્યો હતો જે બનાવમાં ઇકો ગાડીમાં બેઠેલા વ્યક્તિઓમાંથી બાળક સહિત કુલ મળીને 4 લોકોના મોત નિપજ્યાં છે અને મૃતક વ્યક્તિઓના મૃતદેહને સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે. અને અકસ્માતના આ બનાવની માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માત થયેલા વાહનોને રોડ સાઈડમાં કરીને રસ્તા ઉપરનો ટ્રાફિક ક્લિયર કરાવવા માટેની કામગીરી કરી છે.

દીવનો કાપડિયા પરિવાર પોતાની ઈકો ગાડી લઈને કચ્છમાં માતાના મઢે દર્શન કરવા માટે ગયો હતો અને માતાના મઢે માતાજીના દર્શન કરીને આ પરિવાર દીવ તરફ પાછો જઈ રહ્યો હતો ત્યારે માળિયા તાલુકાના હરીપર ગામના પાટીયા પાસેથી તેઓની ઇકો ગાડી પસાર થઈ રહી હતી દરમિયાન કોઈ કારણોસર ઇકો ગાડીનું ટાયર ફાટી ગયું હતું જેથી કારના ચાલકે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ડિવાઇડર કૂદીને સામેની સાઈડમાં રોડ ઉપરથી પસાર થઈ રહેલ ટ્રક સાથે ઇકો ગાડી અથડાઈ હતી જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈકો ગાડીમાં બેઠેલા કુલ છ વ્યક્તિઓમાંથી બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત નીપજયાં છે જેમાં ઇકો ગાડીના ચાલક ભરતકુમાર વીરજીભાઈ બાંભણિયા (50) રહે. રામનગર ખરા વિસ્તાર, દીવ, મૂળ ગીર સોમનાથ, કંચનબેન વિરજીભાઈ બાંભણિયા (60), જીવાંશુ મનોજ કાપડિયા (7) અને મનોજ લક્ષ્મણભાઈ કાપડિયા (50)નો  સમાવેશ થાય છે અને આ બનાવમાં જાગૃતિબેન મનોજભાઈ કાપડિયા (35) અને તેમની દીકરી વૈદર્શી મનોજભાઈ કાપડિયા (12)ને ઇજા થઈ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે. હાલમાં મૃતકોના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવેલ છે આ બનાવની માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી છે અને સ્થળ ઉપર અકસ્માત થયેલ વાહનોને રોડ સાઈડમાં કરવા માટેની કામગીરી હાથ ધરી છે અને માળિયા કચ્છ હાઇવે રોડ ઉપરનો ટ્રાફિક ક્લીયર કરવા માટેની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.






Latest News