મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રાસંગપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો અને પોલીસે આમને સામને મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન


SHARE











માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન

માળીયા (મી)ના નવી નવલખી ગામે રહેતા યુવાનની થોડા સમય પહેલા પીપળીયા ચાર રસ્તા નજીક જામનગર રોડ ઉપર કોલસાના ડેલા પાસે હત્યા કરવામાં આવી હતી અને ગુનામાં સંડોવાયેલ આરોપીના ઘરે મૃતક યુવાનના પરિવારમાંથી 5 મહિલાઓ સહિત કુલ સાત વ્યક્તિઓ ગયા હતા અને ઘરમાં પ્રવેશ કરીને ઘરવખરીને ઘરની બહાર કાઢીને તેમજ ઘરમાં સળગાવી નાખી હતી અને 1.5 લાખ રૂપિયાના મુદ્દામાલને નુકસાન કર્યું છે જેથી હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણાના નવી નવલખી ગામના મૂળ રહેવાસી અને હાલ જામનગર માધાપર ભૂંગા વિસ્તારમાં રહેતા બાનુબેન અભરામભાઈ સાચા (45)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇબ્રાહીમભાઇ હારુનભાઈ સોતા, ઇશાક કરીમભાઈ પઠાણ, સકીનાબેન અબ્બાસભાઈ સોતા, સલમાબેન હસનભાઇ સોતા, ફરીદાબેન સુલતાનભાઈ સોતા, શેરબાનુ ઇમરાનભાઈ સોતા અને રીહાના ઇબ્રાહીમભાઇ સોતાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 11/5 ના રોજ તેઓના ગામના રહેવાથી અબ્બાસ અબ્દુલભાઈ સોતાની પીપળીયા ચાર રસ્તાથી જામનગર તરફ જવાનો રસ્તા ઉપર આવેલ કોલસાના ડેલા પાસે હત્યા કરવામાં આવી હતી અને તે ગુનામાં હાલના ફરિયાદી મહિલાનો દીકરો હુસેન અભરામભાઈ સાઇચા પણ સંડોવાયેલ હોય બાબતનું મનદુઃખ રાખીને મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનો નવી નવલખી ગામે આવેલ ફરિયાદીના ઘરમાં આવ્યા હતા અને ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરીને ઘરની અંદર અને બહારના ભાગમાં આગ ચાંપીને માલ સમાન સળગાવી નાખ્યો હતો જેથી 1.5 લાખની ઘરવખરીમાં નુકશાન કરેલ હોવાની મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News