હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન


SHARE







માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન

માળીયા (મી)ના નવી નવલખી ગામે રહેતા યુવાનની થોડા સમય પહેલા પીપળીયા ચાર રસ્તા નજીક જામનગર રોડ ઉપર કોલસાના ડેલા પાસે હત્યા કરવામાં આવી હતી અને ગુનામાં સંડોવાયેલ આરોપીના ઘરે મૃતક યુવાનના પરિવારમાંથી 5 મહિલાઓ સહિત કુલ સાત વ્યક્તિઓ ગયા હતા અને ઘરમાં પ્રવેશ કરીને ઘરવખરીને ઘરની બહાર કાઢીને તેમજ ઘરમાં સળગાવી નાખી હતી અને 1.5 લાખ રૂપિયાના મુદ્દામાલને નુકસાન કર્યું છે જેથી હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણાના નવી નવલખી ગામના મૂળ રહેવાસી અને હાલ જામનગર માધાપર ભૂંગા વિસ્તારમાં રહેતા બાનુબેન અભરામભાઈ સાચા (45)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇબ્રાહીમભાઇ હારુનભાઈ સોતા, ઇશાક કરીમભાઈ પઠાણ, સકીનાબેન અબ્બાસભાઈ સોતા, સલમાબેન હસનભાઇ સોતા, ફરીદાબેન સુલતાનભાઈ સોતા, શેરબાનુ ઇમરાનભાઈ સોતા અને રીહાના ઇબ્રાહીમભાઇ સોતાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 11/5 ના રોજ તેઓના ગામના રહેવાથી અબ્બાસ અબ્દુલભાઈ સોતાની પીપળીયા ચાર રસ્તાથી જામનગર તરફ જવાનો રસ્તા ઉપર આવેલ કોલસાના ડેલા પાસે હત્યા કરવામાં આવી હતી અને તે ગુનામાં હાલના ફરિયાદી મહિલાનો દીકરો હુસેન અભરામભાઈ સાઇચા પણ સંડોવાયેલ હોય બાબતનું મનદુઃખ રાખીને મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનો નવી નવલખી ગામે આવેલ ફરિયાદીના ઘરમાં આવ્યા હતા અને ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરીને ઘરની અંદર અને બહારના ભાગમાં આગ ચાંપીને માલ સમાન સળગાવી નાખ્યો હતો જેથી 1.5 લાખની ઘરવખરીમાં નુકશાન કરેલ હોવાની મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News