મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના માળીયા ફાટકે અકસ્માત સર્જીને એકનું મોત નીપજવનાર ટ્રકચાલક સામે નોંધાયો ગુનો


SHARE















મોરબીના માળીયા ફાટકે અકસ્માત સર્જીને એકનું મોત નીપજવનાર ટ્રકચાલક સામે નોંધાયો ગુનો

 મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે સર્વિસ રોડ પાસે ઉતારવાની જગ્યાએ અકસ્માત સર્જાયો છે જેમાં કોલસા ભરેલો ટ્રક જુદીજુદી બે રિક્ષા ઉપર પલટી મારી ગયું હતું જેથી કરીને રીક્ષા દબાઈ જતા તેમાં બેઠેલા એક રિક્ષા ચાલકનું સ્થળ ઉપર જ મોત નીપજયું છે જો કે, અન્ય રિક્ષા ચાલક સહિત ત્રણ લોકોને ઇજા થતાં તેને સારવારમાં ખસેડાયેલ હતા આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ગઇકાલે સવારે મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે કોલસો ભરેલ ટ્રક નંબર જી જે ૧૨ એટી ૮૫૦૪ પસાર થતો હતો ત્યારે તે ટ્રકને રોડની પારી ઉપર તેના ડ્રાઇવરે ચડાવી દીધો હતો જેથી કરીને તે ટ્રક પલટી મારી ગયો હતો ત્યારે બે ઓટો રીક્ષા નંબર જી જે ૧૩ એ વી ૨૯૭૨ અને જી જે ૩૬ યુ ૫૭૫૮ ટ્રકની નીચે દબાઈ ગઈ હતી જેથી કરીને મૂળ સુરેન્દ્રનગરના ખેરવા ગામના અને હાલમાં મોરબીના સામાકાંઠે આવેલ કાંતિનગરમાં રહેતા રીક્ષા ચાલક સુલતાનશાહ રમજુશા દીવાન (ઉ.૪૧તેની રિક્ષા જી જે ૧૩ એ વી ૨૯૭૨ માં હતા અને દબાઈ જવાથી તેનું મોત નીપજયું હતું અને અન્ય રિક્ષા જી જે ૩૬ યુ ૫૭૫૮ ના ચાલક હિતેશ શાંતિલાલ રાવળદેવ (૩૦) રહે, વાંકાનેર તેમજ તેમાં બેઠેલા મુસાફર ચંદનસિંહ સુનારસિંગ (૨૦) અને નવીનસિંહ કરિયાસિંગ (૨૧) રહે, બંને ઓડિશા વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા હાલમાં મૃતક યુવાનના દીકરા નાસિરસા સુલતાનશાહ દીવાનએ ટ્રક નંબર જી જે ૧૨ એટી ૮૫૦૪ ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News