ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના માળીયા ફાટકે અકસ્માત સર્જીને એકનું મોત નીપજવનાર ટ્રકચાલક સામે નોંધાયો ગુનો


SHARE











મોરબીના માળીયા ફાટકે અકસ્માત સર્જીને એકનું મોત નીપજવનાર ટ્રકચાલક સામે નોંધાયો ગુનો

 મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે સર્વિસ રોડ પાસે ઉતારવાની જગ્યાએ અકસ્માત સર્જાયો છે જેમાં કોલસા ભરેલો ટ્રક જુદીજુદી બે રિક્ષા ઉપર પલટી મારી ગયું હતું જેથી કરીને રીક્ષા દબાઈ જતા તેમાં બેઠેલા એક રિક્ષા ચાલકનું સ્થળ ઉપર જ મોત નીપજયું છે જો કે, અન્ય રિક્ષા ચાલક સહિત ત્રણ લોકોને ઇજા થતાં તેને સારવારમાં ખસેડાયેલ હતા આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ગઇકાલે સવારે મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે કોલસો ભરેલ ટ્રક નંબર જી જે ૧૨ એટી ૮૫૦૪ પસાર થતો હતો ત્યારે તે ટ્રકને રોડની પારી ઉપર તેના ડ્રાઇવરે ચડાવી દીધો હતો જેથી કરીને તે ટ્રક પલટી મારી ગયો હતો ત્યારે બે ઓટો રીક્ષા નંબર જી જે ૧૩ એ વી ૨૯૭૨ અને જી જે ૩૬ યુ ૫૭૫૮ ટ્રકની નીચે દબાઈ ગઈ હતી જેથી કરીને મૂળ સુરેન્દ્રનગરના ખેરવા ગામના અને હાલમાં મોરબીના સામાકાંઠે આવેલ કાંતિનગરમાં રહેતા રીક્ષા ચાલક સુલતાનશાહ રમજુશા દીવાન (ઉ.૪૧તેની રિક્ષા જી જે ૧૩ એ વી ૨૯૭૨ માં હતા અને દબાઈ જવાથી તેનું મોત નીપજયું હતું અને અન્ય રિક્ષા જી જે ૩૬ યુ ૫૭૫૮ ના ચાલક હિતેશ શાંતિલાલ રાવળદેવ (૩૦) રહે, વાંકાનેર તેમજ તેમાં બેઠેલા મુસાફર ચંદનસિંહ સુનારસિંગ (૨૦) અને નવીનસિંહ કરિયાસિંગ (૨૧) રહે, બંને ઓડિશા વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા હાલમાં મૃતક યુવાનના દીકરા નાસિરસા સુલતાનશાહ દીવાનએ ટ્રક નંબર જી જે ૧૨ એટી ૮૫૦૪ ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News