મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રાસંગપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો અને પોલીસે આમને સામને મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ
Breaking news
Morbi Today

મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી


SHARE











મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી

મોરબીના જાગૃત નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ મોરબી જીલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરી જાહેરનામુ બહાર પાડવા માંગ કરેલ છે.

રજૂઆતમાં જણાવ્યું છેકે મોરબી જીલ્લા નીચે મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર, હળવદ પાંચ તાલુકા આવેલ છે.જે પાંચ તાલુકામાં ધણા દુકાનદારોએ રાજીનામા આપેલ છે.જે હાલમાં ચર્ચામાં ચાલે છે.તેનો ચાર્જ આજુબાજુના ગામના દુકાનદારોને આપેલ છે.જેથી પ્રજાને ધણી જ તકલીફ પડે છે. અને પોતાનું પ્રાઈવેટ અથવા ભાડે વાહન કરીને ત્યાં જવુ પડે છે.ત્યા લેવા જાય ત્યારે ધણી વખત સરવરનો પ્રોબલેમ હોય છે.અથવા સમયસર દુકાનદારને માલ પણ મળેલો હોતો નથી.જેથી ગરીબ પ્રજાને હેરાન થવું પડે છે અને ખુલી બજારમાંથી મોંધા ભાવનુ અનાજ ખરીદવુ પડે છે.સરકાર કરોડો રૂપિયા જરૂરીયાતમંદ પ્રજા પાછળ ખર્ચ કરે છે.જે પણ એળે જાય છે અને પ્રજા હેરાન થાય છે.આવી તમામ દુકાનોના જાહેરનામા બહાર પાડવા જરૂરી છે.જેથી પ્રજાને ધકકા ન થાય અને કોઈપણ એક પરિવારને નવી દુકાન મળે તો તેની રોજીરોટી પણ ચાલુ થઈ જાય તેમ છે.આ બાબતે અગાઉ છ મહીના પહેલા ટંકારા તાલુકાના વીરવાવ ગામની અરજી પણ મોકલેલ જેનું કોઈ પરિણામ આવેલ નથી.તેથી આ બાબતે જીલ્લા પુરવઠા અધિકારી અંગત રસ લઈને પ્રજાને પડતી મુશ્કેલી દુર કરવા તાત્કાલીક જાહેરનામુ બહાર પાડે તેવી માંગ અરજદાર પી.પી.જોષીએ કરેલી છે.






Latest News