સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી


SHARE







મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી

મોરબીના જાગૃત નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ મોરબી જીલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરી જાહેરનામુ બહાર પાડવા માંગ કરેલ છે.

રજૂઆતમાં જણાવ્યું છેકે મોરબી જીલ્લા નીચે મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર, હળવદ પાંચ તાલુકા આવેલ છે.જે પાંચ તાલુકામાં ધણા દુકાનદારોએ રાજીનામા આપેલ છે.જે હાલમાં ચર્ચામાં ચાલે છે.તેનો ચાર્જ આજુબાજુના ગામના દુકાનદારોને આપેલ છે.જેથી પ્રજાને ધણી જ તકલીફ પડે છે. અને પોતાનું પ્રાઈવેટ અથવા ભાડે વાહન કરીને ત્યાં જવુ પડે છે.ત્યા લેવા જાય ત્યારે ધણી વખત સરવરનો પ્રોબલેમ હોય છે.અથવા સમયસર દુકાનદારને માલ પણ મળેલો હોતો નથી.જેથી ગરીબ પ્રજાને હેરાન થવું પડે છે અને ખુલી બજારમાંથી મોંધા ભાવનુ અનાજ ખરીદવુ પડે છે.સરકાર કરોડો રૂપિયા જરૂરીયાતમંદ પ્રજા પાછળ ખર્ચ કરે છે.જે પણ એળે જાય છે અને પ્રજા હેરાન થાય છે.આવી તમામ દુકાનોના જાહેરનામા બહાર પાડવા જરૂરી છે.જેથી પ્રજાને ધકકા ન થાય અને કોઈપણ એક પરિવારને નવી દુકાન મળે તો તેની રોજીરોટી પણ ચાલુ થઈ જાય તેમ છે.આ બાબતે અગાઉ છ મહીના પહેલા ટંકારા તાલુકાના વીરવાવ ગામની અરજી પણ મોકલેલ જેનું કોઈ પરિણામ આવેલ નથી.તેથી આ બાબતે જીલ્લા પુરવઠા અધિકારી અંગત રસ લઈને પ્રજાને પડતી મુશ્કેલી દુર કરવા તાત્કાલીક જાહેરનામુ બહાર પાડે તેવી માંગ અરજદાર પી.પી.જોષીએ કરેલી છે.






Latest News