વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે


SHARE







મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે

મોરબીમાં રવાપર ઘુનડા રોડ ખાતે આવેલ યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે આગામી તારીખ 5,મી જૂનથી 14,જૂન-2026 સુધી વહેલી સવારે 6.00 વાગ્યાથી માતૃભૂમિ વંદના ટ્રષ્ટ, મોરબી તથા સ્વયં સ્વસ્થ બનો અભિયાન-ભારતના સંયુક્ત તત્વાધાનમાં દશ દિવસીય નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે,

સાંપ્રત સમયમાં બેઠાળું જીવનથી, કામના સતત માનસિક તણાવથી લોકો અનેક શારીરીક અને માનસિક સમસ્યાઓથી ગ્રસ્ત હોય છે, ત્યારે સ્વસ્થ રહો,જાગૃત રહો, આવો સ્વસ્થ સમાજ નિર્માણમાં સહભાગી બનીએ,ખુદ પણ તંદુરસ્ત રહીએ અને સમાજ તેમજ રાષ્ટ્રને પણ દુરસ્ત, તંદુરસ્ત રાખીએ એવી નેમ,એવા શુભ આશયથી આ યોગ શિબિર યોજાઈ રહી છે, આ શિબિરમાં ગીતાબેન જૈન અને દિપકભાઈ જાની યોગ પ્રાણાયામ સંપૂર્ણ સિસ્ટમેટિક રીતે અનેકવિધ યોગાશનો શીખડાવશે જે રોજ બરોજ કરવાથી સાંધાની જકડંન દૂર થાય છે, શરીર લચીલું બની જાય છે,તો તન,મનને તંદુરસ્ત રાખવા માટે યોગશિબિરમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે અને માત્ર મર્યાદિત જગ્યા હોય શિબિરમાં જોડાવવા માટે સંપર્ક નંબર 8200396799 અને 088665 90300 સત્વરે રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે.






Latest News