મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના કોયબામાં શહિદ જવાન વનરાજસિંહ ઝાલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા શહીદ યાત્રા યોજાઇ


SHARE











હળવદના કોયબામાં શહિદ જવાન વનરાજસિંહ ઝાલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા શહીદ યાત્રા યોજાઇ

૧૯૭૧ ના ભારત પાકિસ્તાનના યુધ્ધમાં શહીદ થયેલા હળવદ તાલુકાના કોયબા ગામના શાહિદ જવાન વનરાજસિંહ હાલુભા ઝાલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે હળવદ તાલુકાનાં કોયબા ગામમાં શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશ અને સમસ્ત કોયબા ગામ દ્વારા ૧૯૭૧ ના ભારત પાકિસ્તાનના યુધ્ધમાં શહીદ થયેલા વનરાજસિંહ ઝાલાની શહાદતના ૫૦ વર્ષ પૂર્ણ થતા કોયબા ગામે શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા રાજ્યના મંત્રી કિર્તીસિંહ વાઘેલા, હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિતના આગેવાનો તેમજ નિવૃત આર્મીમેનો હાજર રહ્યા હતા અને આ યાત્રા સમગ્ર ગામમાં ફરી હતી અને શહીદ વનરાજસિંહને આર્મીના ઓફિસરો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, શહીદ વનરાજસિંહ ઝાલા ગામમાં આજની તારીખે પણ સુરાપુરા તરીકે પૂજાય છે અને ત્યના લોકો તેમની માનતા માને છે અને લોકોના ધાર્યા કામો પણ થાય છે




Latest News