મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં 10 વર્ષ પહેલા છોકરી બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને બે યુવાન ઉપર પાંચ શખ્સોનો છરી-પાઇપ વડે હુમલો


SHARE











વાંકાનેરમાં 10 વર્ષ પહેલા છોકરી બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને બે યુવાન ઉપર પાંચ શખ્સોનો છરી-પાઇપ વડે હુમલો

વાંકાનેરમાં 10 વર્ષ પહેલાં છોકરી બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાન ઉપર પાંચ શખ્સો દ્વારા પાઇપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને હાથે, પગે તથા શરીરે માર મારીને ઈજા કરી હતી તેમજ હાથના અંગૂઠામાં છરી મારીને ઇજા કરવામાં આવી હતી. અને તેની સાથે રહેલા વ્યક્તિને પણ છરી અને પાઇપથી માર માર્યો હતો જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના આંબેડકરનગર શેરી નં. 4 માં રહેતા રાજેશભાઈ કેશુભાઈ પરમાર (41)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરભાઈ રમેશભાઈ સારેસા, સાહિલ મનુભાઈ વાઘેલા, ચિરાગભાઈ મૂળજીભાઈ બોસિયા, અજયભાઈ વાઘજીભાઈ સુમેસરા, સિદ્ધાર્થ ઉર્કે કાનો નરેશભાઈ સારેસા રહે. બધા આંબેડકરનગર વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે 10  વર્ષ પહેલા આરોપી કરનભાઈ સારેસા સાથે છોકરી બાબતે ફરિયાદીને માથાકૂટ થયેલ હતી અને તે બાબતનો ખાર રાખીને કરભાઈ અને સાહિલે લોખંડના પાઇપ વડે ફરિયાદી ઉપર હુમલો કરીને જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ બંને પગમાં પણ માર મારીને ઇજા કરી હતી જ્યારે ચિરાગભાઈએ છરી વડે હુમલો કરીને ફરિયાદીને ડાબા હાથના અંગૂઠામાં ઈજા કરી હતી અને સાહેમોહિતને ડાબા હાથની કોણી પાસે છરી મારીને ઇજા કરી હતી જયારે અજયભાઈ અને સિદ્ધાર્થે ફરિયાદી તથા સાહેને લોખંડના પાઇપ વડે માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News