મોરબીના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ ટ્રિપિંગ-સારા રોડ રસ્તા સહિતના પ્રશ્નોની મોરબી પેપર મિલ એસો. દ્વારા કલેકટરને કરાઈ રજૂઆત ટંકારા ત્રણ હાટડી શેરી-મઠવારી વિસ્તારના બધા પરીવારો દ્વારા ભગવાન દ્વારકાધીશની ધ્વજારોહણનો મહાઉત્સવ મોરબી જિલ્લા કલેક્ટરની ખનિજ માફિયાઓ સામે લાલ આંખ: ધરમપુર નજીક ચેકિંગ કરીને ફેલ્સ્પાર ખનિજનો જથ્થો, પ્લાન્ટ અને ટ્રક જપ્ત મોરબીના મકનસર ગામેથી યુવતી ગુમ મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા જીલ્લાના નવનિયુક્ત પ્રમુખ-ચૂંટાયેલ આગેવાનોનો સન્માન  સમારોહ યોજાયો મોરબી, માળીયા અને વાંકનેર વિસ્તારમાં દારૂની 4 રેડ: 24 બોટલ દારૂ અને 1500 લિટર આથો કબ્જે વાંકાનેરમાં આઈપીએલની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડાયો: એકની શોધખોળ મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક વાડીમાં ગાંજાનું વાવેતર !: 2.18 લાખની કિંમતનો 4 કિલો 376 ગ્રામ ગાંજો કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત


SHARE











મોરબીના લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત

મોરબીના લીલાપર ગામે રહેતા પરિવારનો બે વર્ષનો બાળક ગત્ત રાત્રીના રમતા રમતા પાણીના ટાંકામાં પડી ગયો હતો અને ડૂબી જતાં તેનું મોત નીપજેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મોરબી તાલુકાના શાપર ગામના અને હાલ મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા રાજેન્દ્રસિંહ જાડેજાનો બે વર્ષનો દીકરો નક્ષરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા લીલાપર ગામે રમતા રમતા ગતરાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં પાણીના ટાંકામાં પડી ગયો હતો અને ડૂબી ગયો હોય તેને અત્રેની સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જો કે અત્રે તેને મૃત જાહેર કરવામાં આવતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા પહોંચીને બનાવ અંગે તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના હળવદ રોડ માંડલ ગામ પાસે થયેલ મારામારીના બનવામાં ઇજા પામેલા મોહનભાઈ ભલાભાઇ (ઉમર ૫૦) રહે.ઘુંટુ રોડ સામેકાંઠે મોરબી-૨ ને સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ પોલીસે જણાવેલ છે.જ્યારે મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયા આવાસ યોજનાના કવાટર વિસ્તારમાં રહેતા નેહાબેન દિનેશભાઈ કાંજીયા નામની દેવીપુજક મહિલાને તેમના ઘરે ધીરજભાઈ ચંદુભાઈ કાંજીયા, ચેતન ધીરજભાઈ કાંજીયા તથા આશાબેન ધીરજભાઈ કાંજીયા દ્વારા ઢીકાપાટુની મારામારી કરવામાં આવતા ઇજા પામ્યા હોય નેહાબેનને સિવિલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે જાણ થતા સ્ટાફના વી.જે.સિંચણાદા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના શનાળા ગામ પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા વિજયભાઈ મંગાભાઈ શિયાળ નામના ૩૮ વર્ષના યુવાનને ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના માળિયા મીયાણા પાસે હરીપર ગામના રેલવે બ્રિજ નજીક ટ્રક સાથે અન્ય ટ્રક સાથે અથડાતા રાજસ્થાની ટ્રક ચાલક નરેશ રતલામભાઈ ચૌધરી (૨૪) રહે.રાજસ્થાન નામના યુવાનને ઇજા થતા સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

જામનગરના જોડીયા તાલુકાના પીઠડ ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા વિજયભાઈ માધવજીભાઈ ભોજાણી નામના ૪૬ વર્ષના યુવાનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે કચ્છ રાપરના પેથાપર ગામના હિતેશભાઈ ઇશ્વરભાઇ કોળી નામના ૧૭ વર્ષના યુવાનને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.કુંભારીયા ગામ પાસે અજાણ્યા ઢોર સાથે તેનું વાહન અથડાતા તે ઈજા પામ્યો હોય તેને અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો.






Latest News