મોરબીના શ્રી સ્થાનકવાસી જૈન સંઘમાં તપ તેજસ્વીની શ્રી વિજેતાજી આર્યાજીના અઠ્ઠમના વર્ષીતપ પ્રસંગે ત્રિવેણી મહોત્સવ મોરબી નવયુગ કોલેજનું ગૌરવ વધારતી જાનવી સિતાપરા માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય


SHARE











માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય

સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા માળીયા(મી)ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પોતાની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે

આ વર્ષે હયાતીની ખરાઈ પ્રક્રિયા ઓનલાઈન ‘Beneficiary Satyapan Application’ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન અથવા બાયોમેટ્રિક માધ્યમથી કરવાની હોવાથી લાભાર્થીઓ પોતાના મોબાઈલમાં પ્લેસ્ટોરમાંથી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી જાતે જ ઘરે બેઠા ઓનલાઈન સત્યાપન કરી શકશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ પોતાની ગ્રામ પંચાયતના TCM અથવા VCE પાસે જઈને પણ ખરાઈ કરાવી શકશે. જે લાભાર્થીઓ મામલતદાર કચેરી ખાતે રૂબરૂ ખરાઈ કરાવવા ઈચ્છતા હોય તેમણે કચેરીની સહાય શાખા,પ્રથમ માળ રૂમ.ન.૭  જન સેવા કેન્દ્ર , મામલતદાર કચેરી માળીયા(મી)  ખાતે આધારકાર્ડ અને ઓટીપી (OTP) માટે પોતાનો મોબાઈલ ફોન સાથે લાવવો ફરજિયાત રહેશે. આગામી તા. 30/05/2026 સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે, અન્યથા નિયમાનુસાર પેન્શનનો લાભ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની માળીયા(મી) તમામ સંબંધિત લાભાર્થીઓએ ખાસ નોંધ લેવા માળીયા(મી) મામલતદાર એચ.સી.પરમારની યાદીમાં જણાવાયું છે.






Latest News