કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ


SHARE











મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ

મોરબીના વોર્ડ નં 2 વીસીપરા વિસ્તારમાં વારંવાર પાણી કાપ મુકવામાં આવે છે જેથી સ્થાનિક લોકોને ભારે હેરાન થવું પડે છે જેથી મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવે છે અને નિયમિત રીતે અને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે અને જો તેઓની માંગણીને ધ્યાને લઈને કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગમી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના વીસીપરા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પાણી કાપ મૂકવામાં આવેલ છે. જેની સ્થાનિક લોકો દ્વારા તેઓને ફરીયાદ કરવામાં આવી રહી છે. અને લોકોને કહેવા મુજબ જે પાણીની સપ્લાઇ કરવામાં આવે છે તેમાં પૂરા પ્રેસરથી પાણી આવતું નથી જેથી લોકોને પૂરતું પાણી મળતું નથી અને ખાસ કરીને છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને પાણી મળતું નથી. અને પાણી આવે છે તેનો કોઈ સમય નિશ્ચિત નથી. જેથી ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને તાજેતરમાં મહાપાલિકાની ચુટણી પૂરી થઇ છે ત્યાર આ વિસ્તાર સાથે ભેદભાવની નીતિ રાખીને પાણી સપ્લાય જાણી જોઈને કરવામાં આવે છે કે કેમ તે અંગેની પણ તપાસ કરીને પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. અને જો કોંગ્રેસની માંગને ધ્યાને લઈને કામ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News