સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ


SHARE





મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ

મોરબીના વોર્ડ નં 2 વીસીપરા વિસ્તારમાં વારંવાર પાણી કાપ મુકવામાં આવે છે જેથી સ્થાનિક લોકોને ભારે હેરાન થવું પડે છે જેથી મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવે છે અને નિયમિત રીતે અને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે અને જો તેઓની માંગણીને ધ્યાને લઈને કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગમી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના વીસીપરા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પાણી કાપ મૂકવામાં આવેલ છે. જેની સ્થાનિક લોકો દ્વારા તેઓને ફરીયાદ કરવામાં આવી રહી છે. અને લોકોને કહેવા મુજબ જે પાણીની સપ્લાઇ કરવામાં આવે છે તેમાં પૂરા પ્રેસરથી પાણી આવતું નથી જેથી લોકોને પૂરતું પાણી મળતું નથી અને ખાસ કરીને છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને પાણી મળતું નથી. અને પાણી આવે છે તેનો કોઈ સમય નિશ્ચિત નથી. જેથી ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને તાજેતરમાં મહાપાલિકાની ચુટણી પૂરી થઇ છે ત્યાર આ વિસ્તાર સાથે ભેદભાવની નીતિ રાખીને પાણી સપ્લાય જાણી જોઈને કરવામાં આવે છે કે કેમ તે અંગેની પણ તપાસ કરીને પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. અને જો કોંગ્રેસની માંગને ધ્યાને લઈને કામ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.




Latest News