મોરબીમાં મૃત્યુ પામેલા પિતા યાદ આવતા હોય એસિડ પી ગયેલ યુવતીનું સારવારમાં મોત
મોરબીના નવા જાંબુડીયા ગામે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
SHARE
મોરબીના નવા જાંબુડીયા ગામે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
મોરબીના નવા જાંબુડીયા ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.
મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે રહેતા નિલેશ ધીરુભાઈ સારલા (32) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના બળદેવભાઈ દેત્રોજા ચલાવી રહ્યા છે
મહિલા સારવારમાં
વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા બધીબેન ભગાભાઈ કગથરા (50) નામના મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
યુવાન સારવારમાં
હળવદના ઈશ્વરનગર ગામે રહેતા પંકજ વિનોદભાઈ નાયકા (20) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.