મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરના કાશીપર ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતરાઇ ભાઈનું અપહરણ કરીને બે મહિલા સહિત 7 લોકોએ માર માર્યો


SHARE











વાંકાનેરના કાશીપર ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતરાઇ ભાઈનું અપહરણ કરીને બે મહિલા સહિત 7 લોકોએ માર માર્યો

વાંકાનેરના કાશીપર ગામે રહેતા યુવાનના પિતરાઇ ભાઈએ તે જ ગામમાં રહેતી યુવતીને ભગાડીને તેની સાથે પ્રેમલગ્ન કરેલ છે જેથી યુવતીના પિતા સહિત કુલ સાત વ્યક્તિઓ દ્વારા યુવાનનું વાંકાનેર મામલતદાર કચેરી પાસેથી કારમાં અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ તેને દીધલીયા ગામની સીમમાં લઈ જઈને ત્યાં યુવાનને કુહાડી, સળિયા, લાકડાના ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો અને આ બાબતે પોલીસ ફરિયાદ કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા રૂપાભાઈ સુખાભાઈ ધોરીયા (32)વાંકાનેર સિટી પોલીસ કેશાભાઈ મનજીભાઈ લુંભાણી, વિપુલભાઈ કરસનભાઈ લુંભાણી, ગોપાલભાઈ કેશાભાઈ લુંભાણી, વિપુલભાઈના પત્ની, વાલજીભાઈ માવજીભાઈ લુંભાણી, હંસાબેન કેશાભાઈ લુંભાણી અને કરસનભાઈ લુંભાણી રહે. બધા કાશીપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના કાકાના દીકરા ભાવેશએ કેશાભાઈ લુંભાણીની દીકરીને ભગાડી જઈને તેની સાથે પ્રેમલગ્ન કરેલ છે અને તે બંનેને ફરિયાદી ક્યાંક સંતાડી રાખેલ છે તેવી આરોપીઓને શંકા હોય ફરિયાદી જ્યારે વાંકાનેર મામલતદાર કચેરી ખાતે હાજર હતો ત્યારે ત્યાં કેશાભાઈ, વિપુલભાઈ અને ગોપાલભાઈ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને બળજબરી પૂર્વક કારમાં બેસાડીને દીધલીયા ગામની સીમમાં લઈ ગયા હતા અને ત્યાં ફરિયાદીને કુહાડીનો ઊંધો ઘા માથાના ભાગે માર્યો હતો તેમજ સળિયા, લોખંડના પાઇપ અને ધોકા વડે બીજા આરોપીઓએ ફરિયાદીને શરીરે આડેધડ માર માર્યો હતો ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને કાશીપર ગામે લઈ ગયા હતા અને ત્યાં તેને છોડી મૂક્યો હતો જોકે આ બાબતે કેસ કરશે તો તેના પરિવારને જાનથી મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે.






Latest News