વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા  હળવદના કાવડિયા ગામનો બનાવ: કામ ધંધો સરખો ન કરે ત્યાં સુધી પરત આવવાની રિસામણે બેઠેલ પત્નીએ ના પડતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના વાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ૧૨૪૦૦ સાથે ઝડપાયા


SHARE











માળીયા (મિ)ના વાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ૧૨૪૦૦ સાથે ઝડપાયા

માળીયા મિયાણા વાડા વિસ્તારમાં રસુલભાઇ મહમદભાઇ કટીયાના મકાનની બાજુમાં આવેલ બાવળના ઝાડ નીચેથી જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે ત્યાં પાંચ ઇશમો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૨,૪૦૦  ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલ બાતમી આધારે માળીયા મિયાણાના પીએસઆઈ એન.એચ. ચુડાસમાની સુચનથિ તેની ટીમના માણસો દ્વારા વાડા વિસ્તારમાં રસુલભાઈ મહમદભાઈ કટીયાના મકાન પાસે આવેલ બાવળના ઝાડ નીચે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા પાંચ ઇસમો મળી આવ્યા હતા જેમાં તાજમહમદભાઇ અયુબભાઇ જામ જાતે મિયાણા (ઉ.વ ૪૫), હૈદરભાઇ ખીમાભાઇ માણેક જાતે મિયાણા (ઉવ ૬૨), અબ્દુલભાઇ ગુલમહમદભાઇ મોવર જાતે મિયાણા (ઉવ ૪૯), મહેબુબભાઈ ઈલીયાસભાઇ કટીયા જાતે મિયાણા (ઉવ ૪૬) અને હસનભાઈ અલુભાઈ કટીયા જાતે મિયાણાનો સમાવેશ થાય છે અને આ શખ્સો પાસેથી પોલીસે રોકડા રૂપિયા ૧૨,૪૦૦  કબજે કરેલ છે આ કામગીરી પીએસઆઈની સૂચનાથી અજીતસિંહ લક્ષ્મણસિંહ પરમાર, સંજયભાઈ દીલીપભાઈ રાઠોડ, જયપાલભાઈ જેસંગભાઈ લાવડીયા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News