ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે મકનમાથી ૯૫ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, આ એકની શોધખોળ


SHARE











મોરબીના મકનસર ગામે મકનમાથી ૯૫ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, આ એકની શોધખોળ

મોરબી તાલુકાના મકનસર (ભક્તિનગર-૨)  ગામે રેલ્વે સ્ટેશન પાસે રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાથી વિદેશીદારૂની ૯૫ બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૧,૯૫૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હરેશભાઇ આગલ તથા દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.આલની સૂચનાથી હકીકત વાળી જગ્યા મકનસર ગામે આવેલ ભક્તિનગર -૨ માં અશોકભાઇ બાબુભાઇ ખાંભલા જાતે કોળી (૨૭ ના ઘરે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાથી ૯૫ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩૧,૯૫૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપીના કહેવા પ્રમાણે જયદીપસિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા રહે. મકનસર વાળાએ તેને આ દારૂનો જથ્થો છુપાવવા માટે આપ્યો હતો જેથી કરીને પોલીસે આપેલ હાલમાં અશોકભાઇ બાબુભાઇ ખાંભલાની ધરપકડ કરેલ છે અને જયદીપસિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી નરવિરસિંહ જાડેજા, સુરેશભાઇ હુંબલ, જયસુખભાઇ વસીયાણી, હરેશભાઇ આગલ, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગઢડા તથા જયેશભાઇ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે . 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ

 






Latest News