ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સગાઇ તૂટી ગયા બાદ ગુમસુમ રહેતી યુવતીએ જીવન ટુંકાવ્યું


SHARE











મોરબીમાં સગાઇ તૂટી ગયા બાદ ગુમસુમ રહેતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત

મોરબીમાં સગાઇ તુટી જવાથી ગુમસુમ રહેતી યુવતીએ ગળેફાંસો ખાઇ લેતા તેણીનું મોત નિપજ્યું હતું. સીટી એ-ડીવીઝન પોલીસ મથકના ધ્રુવરાજસિંહ પાસેથી મળતી વિગતો મુજબ કંડલા બાયપાસ દલવાડી સર્કલની પાસે આવેલ પચ્ચીસ વારીયામાં રહેતા પરિવારની પલ્લવીબેન મનીષભાઇ બારોટ નામની 20 વર્ષની યુવતીએ તેના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેનું મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને અત્રેની સિવિલે લાવવામાં આવતા ફોરેન્સીક પીએમ કરવામાં આવ્યું હતું.

મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવેલ હતી. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક પલ્લવીબેન બારોટની સગાઇ તુટી ગયા બાદ તે ગુમસુમ રહેતી હતી અને અંતે અંતિમ પગલું ભરી લેતા તેણીનું મોત થયું હતું.

મારામારીમાં ઇજા
મોરબી લાતી પ્લોટ શેરી નં. 7 પાસેથી જોન્સનગરમાં રહેતા ઝુબેર રજાકભાઇ રાજા (19)ને ઘર પાસે મારામારીમાં ઇજા થતાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે રાજકોટ હાઇવે ઉપરની ઓનેસ્ટ હોટલ પાસે થયેલ મારામારીમાં ઇજા પામેલા યુનુસ સાઉદીન મોવર (ઉ.વ. 11, રહે. માળીયા મી.) ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. વાંકાનેરના બસ સ્ટેશન પાસે થયેલ મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા રફીકભાઇ ઉમરભાઇ સંધવાણી (ઉ.વ. 28, રહે. વાંકાનેર)ને વધુ સારવાર માટે વાંકાનેરથી અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.

અકસ્માતે ઇજા
મોરબી-ટંકારા હાઇવે ઉપર થયેલા અકસ્માતમાં ઇજા પામેલા અનિલ ભરતભાઇ અગ્રાવત (ઉ.વ. 27, રહે. જસાપર, તા. માળીયા-મિં.) અને જયેશ મોહનભાઇ વાઘેલા (ઉ.વ. 17)ને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. કચ્છના અંજાર ખાતે થયેલ મારામારીમાં ઇજા પામેલા લીલાબેન લાખાભાઇ ચૌહાણ (ઉ.વ. 45, રહે. રફાળેશ્ર્વર, તા. મોરબી)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવતા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.

દવા પી જતા
મોરબી જક્સીની વાડી બોરીયા પાર્ટી ખાતે રહેતા નિર્મળાબેન હરેશભાઇ પરમાર (ઉ.વ. 26) નામની મહિલા દવા પી જતાં અત્રેની મંગલમ હોસ્પીટલે લાવવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે બનાવ પિયરમાં બનેલ છે અને બાળકોને મળવા દેતા ન હોવાથી લાગી આવતા પગલુ ભર્યું હતું.

તેમજ પંચાસર રોડ ખાતે ગોલાની લારી લઇને જતાં સમયે બાઇકના ચાલકે ટક્કર મારતા ઇજા પામેલા રફીકભાઇ વલીભાઇ ખોખર (ઉ.વ. 46, રહે. મહેન્દ્રપરા મોરબી)ને સિવિલે ખસેડાયા હતા. 
મોરબીના શનાળા રોડ સરદાર બાગ સામેની શાક માર્કેટમાં મારામારીમાં ઇજા પામેલ મીઠુભાઇ મુકેશભાઇ કંસારા (ઉ.વ. 24, રહે. માળીયા-વનાળીયા સોસાયટી, સામાકાંઠે)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News