ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ


SHARE











મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

મોરબીમાં પવિત્ર અધિક માસ નિમિત્તે સુપ્રસિદ્ધ વક્તા ભાણદેવજીના વ્યાસપીઠે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને મોરબી અને આસપાસના વિસ્તારની ધર્મપ્રેમી જનતાને તે કથાનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.

મોરબીના કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મ ખાતે સુપ્રસિદ્ધ વક્તા ભાણદેવજીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અધિક માસના પુણ્યશાળી દિવસોમાં યોજાનારી આ કથામાં તેઓ પોતાની આગવી શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવશે. આ કથાનો પ્રારંભ તા. ૧૭/૦૫/૨૦૨૬, રવિવારથી થશે અને તા.૨૩/૦૫/૨૦૨૬ શનિવારના રોજ ક્થા વિરામ થશે. આ કથામાં ભક્તો ભક્તિનો આનંદ માણી શકે તે હેતુથી ક્થાનો સમય રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ રાખવામાં આવ્યો છે. જેથી આ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે આયોજકો દ્વારા સમસ્ત મોરબીવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ આયોજનને સફળ બનાવવા માટે સેવાભાવી કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. કથાની વધુ માહિતી માટે મગનભાઈ ગામી (૯૯૨૫૭ ૨૭૧૭૬) તથા મગનભાઈ જેઠલોજા (૯૪૦૮૯ ૩૯૨૭૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News