ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શુક્રવારે સમસ્ત જૈન મહિલા મંડળોનો પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાશે


SHARE











મોરબીમાં શુક્રવારે સમસ્ત જૈન મહિલા મંડળોનો પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાશે

મોરબીમાં શ્રી વિજેતાજી મહાસતીજીની તપશ્ચર્યા નિમિત્તે શુક્રવારે મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો પ્રશ્નમંચ યોજાશે. પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરૂદેવ ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં એમ. પી. જૈન પૌષધ શાળા આયોજિત ઋષભ પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી આરાધનાજી મહાસતીજીના સુશિષ્યા વિજેતાકુમારી મહાસતીજી છેલ્લા ૧૫ મહિનાથી સળંગ અઠમ તપનો કઠીન વર્ષીતપ કરી રહ્યા છે તેની અનુમોદના રૂપે સમસ્ત મોરબીના સંઘોના જૈન મહિલા મંડળો વચ્ચે તા. ૧૫-૫, શુક્રવારે સવારે ૯ થી ૧૨ કલાકે શ્રી દશા શ્રીમાળી વાડીમાં ઋષભ શાનદાર, જાનદાર પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કુલ ૧૦ ટીમો ભાગ લઇ રહી છે. અને વિજેતા ટીમ ને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર તેમજ દરેક ટીમને આશ્વાસન ઇનામ આપવામાં આવશે. તેમ સંસ્થાના કાર્યકર્તા-ટ્રસ્ટી દેવાંગભાઈ દોશીની યાદીમાં જણાવેલ છે






Latest News