સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબીમાં શુક્રવારે સમસ્ત જૈન મહિલા મંડળોનો પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબીમાં શુક્રવારે સમસ્ત જૈન મહિલા મંડળોનો પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાશે

મોરબીમાં શ્રી વિજેતાજી મહાસતીજીની તપશ્ચર્યા નિમિત્તે શુક્રવારે મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો પ્રશ્નમંચ યોજાશે. પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરૂદેવ ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં એમ. પી. જૈન પૌષધ શાળા આયોજિત ઋષભ પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી આરાધનાજી મહાસતીજીના સુશિષ્યા વિજેતાકુમારી મહાસતીજી છેલ્લા ૧૫ મહિનાથી સળંગ અઠમ તપનો કઠીન વર્ષીતપ કરી રહ્યા છે તેની અનુમોદના રૂપે સમસ્ત મોરબીના સંઘોના જૈન મહિલા મંડળો વચ્ચે તા. ૧૫-૫, શુક્રવારે સવારે ૯ થી ૧૨ કલાકે શ્રી દશા શ્રીમાળી વાડીમાં ઋષભ શાનદાર, જાનદાર પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કુલ ૧૦ ટીમો ભાગ લઇ રહી છે. અને વિજેતા ટીમ ને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર તેમજ દરેક ટીમને આશ્વાસન ઇનામ આપવામાં આવશે. તેમ સંસ્થાના કાર્યકર્તા-ટ્રસ્ટી દેવાંગભાઈ દોશીની યાદીમાં જણાવેલ છે






Latest News