અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની પ્રદેશ મંત્રી તરીકે મોરબીના જયવંતસિંહ જાડેજાની વરણી
મોરબીમાં શુક્રવારે સમસ્ત જૈન મહિલા મંડળોનો પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીમાં શુક્રવારે સમસ્ત જૈન મહિલા મંડળોનો પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાશે
મોરબીમાં શ્રી વિજેતાજી મહાસતીજીની તપશ્ચર્યા નિમિત્તે શુક્રવારે મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો પ્રશ્નમંચ યોજાશે. પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરૂદેવ ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં એમ. પી. જૈન પૌષધ શાળા આયોજિત ઋષભ પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી આરાધનાજી મહાસતીજીના સુશિષ્યા વિજેતાકુમારી મહાસતીજી છેલ્લા ૧૫ મહિનાથી સળંગ અઠમ તપનો કઠીન વર્ષીતપ કરી રહ્યા છે તેની અનુમોદના રૂપે સમસ્ત મોરબીના સંઘોના જૈન મહિલા મંડળો વચ્ચે તા. ૧૫-૫, શુક્રવારે સવારે ૯ થી ૧૨ કલાકે શ્રી દશા શ્રીમાળી વાડીમાં ઋષભ શાનદાર, જાનદાર પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કુલ ૧૦ ટીમો ભાગ લઇ રહી છે. અને વિજેતા ટીમ ને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર તેમજ દરેક ટીમને આશ્વાસન ઇનામ આપવામાં આવશે. તેમ સંસ્થાના કાર્યકર્તા-ટ્રસ્ટી દેવાંગભાઈ દોશીની યાદીમાં જણાવેલ છે