સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહની તૈયારી શરૂ


SHARE







મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહની તૈયારી શરૂ

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે. જેથી વિદ્યાર્થીઓએ તેના માર્કશીટ પહોંચાડવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા પ્રતિવર્ષે યોજાતા તેજસ્વિતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કર્યું છે અને તેના માટે મોરબીમાં વસવાટ કરતા ધો. ૧ થી કોલેજ તથા અનુસ્નાતક કક્ષાના બ્રહ્મસમાજના વિધાર્થી ભાઈ-બહેનોએ પોતાના માર્કશીટની નકલ પાછળ પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર સહિતની વિગતો લખી તા.૧૫-૬ સુધીમાં ભુપતભાઈ પંડ્યા (પરશુરામ ધામ-મોરબી), ડો.લહેરૂ સાહેબનું દવાખાનું (શનાળા રોડ દતાત્રેય મંદિર પાસે), ડો.બળવંતભાઈ પંડ્યાનું દવાખાનું (વાઘપરા-મોરબી), ડો.આશિષભાઈ ત્રિવેદીનું દવાખાનું (મહારાણા પ્રતાપ સર્કલ પાસે મોરબી-૨) અને ભારતિ વિદ્યાલય (ઉમા ટાઉનશીપ પાસે મોરબી-૨) ખાતે પહોંચાડવા સંસ્થાના પ્રમુખ આર.કે.ભટ્ટ તથા મહામંત્રી નિરજભાઈ ભટ્ટ તથા જયેશભાઈ દવે દ્રારા યાદીમાં જણાવવામાં આવ્યુ છે.






Latest News