ટંકારાના નેકનામ ગામ પાસે શોર્ટ લગતા યુવાનનું મોત: ઊંચી માંડલ પાસે ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
મોરબીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત: મોરબીની જી.કે.હોટલમાં રહેતા આધેડનું હાર્ટએટેકથી મોત
SHARE
મોરબીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત: મોરબીની જી.કે.હોટલમાં રહેતા આધેડનું હાર્ટએટેકથી મોત
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા પરિવારનો ચાર વર્ષનો બાળક કોઈ કારણોસર પાણીની કુંડીમાં પડી ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકનું મોત નીપજયું હતું જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા મનુભાઈ મકવાણાનો ચાર વર્ષનો દીકરો આદિત્ય અમૃત ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ પાણીની કુંડીમાં કોઈપણ કારણોસર પડી ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીમાં આવેલ ત્રાજપર ચોકડી નજીક જી.કે.હોટલ ખાતે હાલમાં રહેતા મૂળ છત્તીસગઢના રહેવાસી મનોજ ગિરધરલાલ ગુપ્તા (60) નામના વૃદ્ધને ગત તા. 11/5 ના રાત્રીના 9:30 થી લઈને બીજા દિવસે સવારના 9:00 સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે હાર્ટએટેક આવી જવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની દીપકભાઈ ધીરેન્દ્રનાથ (55) રહે. હાલ જી.કે. હોટલ ત્રાજપર ચોકડી પાસે મોરબી વાળાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.