ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત: મોરબીની જી.કે.હોટલમાં રહેતા આધેડનું હાર્ટએટેકથી મોત


SHARE







મોરબીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત: મોરબીની જી.કે.હોટલમાં રહેતા આધેડનું હાર્ટએટેકથી મોત

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા પરિવારનો ચાર વર્ષનો બાળક કોઈ કારણોસર પાણીની કુંડીમાં પડી ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકનું મોત નીપજયું હતું જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા મનુભાઈ મકવાણાનો ચાર વર્ષનો દીકરો આદિત્ય અમૃત ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ પાણીની કુંડીમાં કોઈપણ કારણોસર પડી ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં આવેલ ત્રાજપર ચોકડી નજીક જી.કે.હોટલ ખાતે હાલમાં રહેતા મૂળ છત્તીસગઢના રહેવાસી મનોજ ગિરધરલાલ ગુપ્તા (60) નામના વૃદ્ધને ગત તા. 11/5 ના રાત્રીના 9:30 થી લઈને બીજા દિવસે સવારના 9:00 સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે હાર્ટએટેક આવી જવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની દીપકભાઈ ધીરેન્દ્રનાથ (55) રહે. હાલ જી.કે. હોટલ ત્રાજપર ચોકડી પાસે મોરબી વાળાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News