મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ખાતમુર્હત થયેલ હીરાસરી માર્ગનું કામ કયારે ચાલુ કરાશે..?


SHARE







મોરબીમાં ખાતમુર્હત થયેલ હીરાસરી માર્ગનું કામ કયારે ચાલુ કરાશે..?


મોરબીમાં રહેવાસી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીતમા કરેલ રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતુ કે, તેઓએ અગાઉ મોરબીના હિરાસરીના માર્ગના કામ બાબતે રજૂઆત કરી હતી.જેના અનુસંધાને મોરબીના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી મેરજા દ્વારા આ કામનું ખાતમુર્હત પણ એક મહિનાથી પણ વધુ સમય પહેલા કરવામાં આવેલ હતું. ખાતમુર્હત થયું ત્યારે લોકો કહેતા હતા કે આ તો ખાતમુર્હત વીર છે..! કામ ચાલુ ક્યારે થશે તે નક્કી નહિ.ખરેખર તો આ ખાતમુર્હત ત્યારે જ કરવામાં આવતું હોય છે કે જયારે કામ ચાલુ કરવાનું હોય પરંતુ મોરબીના આ મંત્રીના હસ્તે તો આવા અસંખ્ય ખાતમુર્હતો થયા છે. જેમાંના ખુબજ ઓછા  કામો ચાલુ થયા છે અને ન ચાલુ થયેલા કામોમાં આ હીરાસરી માર્ગનો પણ સમાવેશ થાય છે.  

લોકો તો એમ પણ કહે છે કે આતો મુર્ખ બનાવવા માટેના ખાતમુર્હતો  છે. કામ તો ચુંટણી આવશે ત્યારે ચાલુ કરશે,  અને પાંચ વર્ષે બીજી ચુંટણી આવશે ત્યારે પૂરું કરશે અને તેનું લોકાપર્ણ કરશે..! જેવી રીતે રાજકોટ-મોરબી રોડને ફોરલેન કરવાનું કામ ગોકળ ગાયની ગતિ એ ચાલે છે. તેવું આમાં પણ થશે.માટે આ આગાહી સાચી ન પડે તે માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવાએ મુખ્યમંત્રીને લેખીતમાં વિનતી સાથે માંગણી કરેલ છે કે આ હિરાસરીના માર્ગનું કામ તાત્કાલિક ચાલુ કરાવીને તાત્કાલિક પૂરું કરવા જવાબદારોને યોગ્ય આદેશ આપવા જરૂરી છે.અને જો આવું કરવામાં નહી આવે તો છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધીચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે.






Latest News