મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ


SHARE













મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ

મોરબીના બરવાળા ગામે શ્રી રાજેન્દ્ર કેળવણી ઉત્તેજક ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી ભગવતી વિદ્યાલયનું ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સતત બીજા વર્ષે 100 ટકા આવ્યું છે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને અને સતત બીજા વર્ષે આ  સફળતા માટે શાળા સંચાલક મંડળના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટી સભ્યો દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને અભિનંદન આપવામાં આવ્યા હતા

ઉલેખનીય છે કે, સ્વ. જેરાજભાઈ કરમશીભાઈ શેરશીયા દ્વારા સ્થાપિત આ શાળા છેલ્લા 57 વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે સેવા આપી રહી છે. અને શાળામાં શૈક્ષણિક સફળતા માટે શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થિની કમલાબેન ઠાકરશીભાઈ માકાસણા (હાલ અમેરિકા) દ્વારા અને સહઅભ્યાસ પ્રવૃતિ માટે પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ સારા ઈનામ આપીને વિદ્યાર્થીઓને પ્રત્સાહિત કરવામાં આવે છે.

મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું 100 ટકા પરિણામ

જિલ્લા શ્રેષ્ઠ શાળા એવોર્ડ વિજેતા મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલે સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સમગ્ર બોર્ડનું પરિણામ 92.71 ટકા, મોરબી જિલ્લાનું 96.23 ટકા છે જયારે આ શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે અને શાળાના કુલ વિધાર્થીઓ 111 માંથી 3 ને A1, 21 ને A2 મળેલ છે. આમ "સરકારી શાળાઓ શ્રેષ્ઠ શાળાઓ" ઉક્તિ અહી સાર્થક થાય છે. તેવું શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીએ જણાવ્યુ છે.






Latest News