મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં


SHARE











મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં

શનાળા પાસે ગેરેજમાં આગ લાગતા 11 કારને નુકશાની

 મોરબી-માળીયા (મીં) હાઈવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયાની પાસે આવેલા ભવાની એન્ટરપ્રાઈઝ નામના યુનીટ ખાતે મારામારીનો બનાવ બન્યો હતો. જે સામસામી મારામારીમાં જય પ્રવિણભાઈ દવે (26) રહે. ઘુંટુ રોડ મોરબી અને પ્રવિણભાઈ બાલક્રિષ્નભાઈ રાઠોડ (32) રહે. સિધ્ધિ વિનાયક પાર્ક વાવડી રોડને ઈજાઓ થતા ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. પ્રવીણભાઈએ જય દવેના માથામાં પાનુ મારી દીધુ હતું જયારે પ્રવિણભાઈને પણ મારામારીમાં ઈજા થઈ હતી. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફીરોઝભાઈ સુમરાએ બનાવ અંગે નોંધ કરી તપાસ કરી હતી.

આગથી નુકશાન
 શનાળા પાસે ટાકઝો કાર ગેરેજ ખાતે આગની ઘટના બની હતી. જે બનાવમાં 11 જેટલી કારમાં નુકશાની થઈ હતી. તે અંગે મિલનભાઈ જયંતિભાઈ કડીવાર (29) રહે. શ્યામ રેસીડેન્સી નાની કેનાલ રોડ, મુળ ખાખરેચીએ પોલીસમાં બનાવની જાણ કરી હતી. જેથી સ્ટાફના સંજયભાઈ બાલાસરાએ નોંધ કરી તપાસ કરી હતી.

મારામારી

આંબાવાડી વિસ્તારમાં પાડોસી સાથે મારામારીના બનાવમાં ઈલાબેન સંજયભાઈ મારડીયા (37)ને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા તેમજ પતિએ માર મારતા ઈજા પામેલા રૂક્ષ્મણીબેન કમલેશભાઈ ડાભી (30)ને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.

અંધ શ્રધ્ધાથી દાઝયો
 ટંકારાના સજજનપર ગામના જયેશ નરશીભાઈ ધોળકીયા નામનો 19 વર્ષનો યુવાન દાઝી જતા સારવાર માટે અહીંની સિવિલે ખસેડાયો હતો. વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે ભુવાએ ગરમ તેલમાં હાથ બોળાવી દેતા જયેશ ધોળકીયા દાઝી ગયો હતો! પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી. જયારે કોંઢ ગામે થયેલી મારામારીના બનાવમાં ઈજા પામેલા મનસુખભાઈ પ્રેમજીભાઈ પરમાર (50) રહે. લાલપર તા.મોરબીને સારવારમાં સિવિલે ખસેડાયા હતા.

વાહન અકસ્માત
 ટંકારા-મોરબી હાઈવે ઉપરના લજાઈ ગામે સીએનજી પંપ પાસે થયેલા વાહન અકસ્માત બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા મુસ્તાક કાદરભાઈ (36) રહે. ઈન્દીરાનગર, મહેન્દ્રનગરને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો. જયારે પાડોસી સાથેના ઝગડામાં ઈજા પામેલા વિજયાબેન દેવશીભાઈ પરમાર (58) રહે. લાયન્સનગર નવલખી રોડને અને રોહિદાસપરામાં રહેતા રાહુલ દિનેશભાઈ દેગામા (19)ને ઘર નજીક અજાણ્યા ઈસમે માર મારતા સિવિલે સારવારમાં ખસેડાયા હતા.જયારે જસમતગઢ ગામે બસ સ્ટેશન પાસે બાઈક સ્લીપ થતા ઈજા પામેલા યોગેન્દ્રસિંહ દશુભા જાડેજા (50) રહે. વાધરવા તા.માળીયા (મીં)ને માથામાં ઈજા થયેલ હોય સારવારમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા






Latest News