વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો
SHARE
વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો
વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત ભરતને રાજકોટ સિવિલમાં ખસેડાયો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, ભરત અમરશીભાઈ બારીયા (ઉંમર વર્ષ 27, રહે. સરખડીયા ગામ, તાલુકો વાંકાનેર) ગઈકાલે રાત્રે 10:00 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘર પાસે હતો.
ત્યારે સામેવાળા નાનજી અને તેના ભાઈ ચકાએ તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરીને ધારીયા અને ધોકા વડે માર મારતા માથે અને શરીરે ઇજા થતાં વાંકાનેર હોસ્પિટલ બાદ મોરબી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયેલ.જાણવા મળ્યાં મુજબ, સામાવાળા ભરતના કૌટુંબિક સગા થાય છે. કુટુંબના જ એક બનેવી સાથે સામાવાળા ઝઘડો કરતા હોય, તેમને ઝઘડો ન કરવા અને છોડાવવા માટે ભરત વચ્ચે પડ્યો હતો. જેથી નાનજી અને શકાય તેને પણ માર માર્યો હતો









