મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ


SHARE







મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ

પુ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘ સોની બજાર મોરબીના ઉપક્રમે શાસન સૈનિક શિબિરમાં આઠ વર્ષથી ઉપરના ૮૭ વિદ્યાર્થીઓને ૩ દિવસની શિબિરમાં પ્રથમ દિવસે પુ. શ્રી વર્ધમાન સ્વામીએ જ્ઞાનના વિષયમાં જૈન તત્વ દર્શન સાથે કર્મ, ભક્તિ, બલિદાન અને જ્ઞાનની આશાતનાથી બચીને ઉપાસના દ્વારા બુદ્ધિવર્ધક ઉપાયોની ધારણા કરવા પ્રેરણા કરી હતી અને ઉપાસના દ્વારા બુદ્ધિવર્ધક ઉપાયોની ધારણા કરવા પ્રેરણા કરી હતી અને પુ. સતીજીઓએ પણ જ્ઞાન-ગમ્મત સાથે ધર્મબોધ આપ્યો હતો

પ્રારંભમાં નિશાબેન પટેલે શાસનગીત સાથે જૈન ધર્મ ધ્વજ ફરકાવીને શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો ત્રણ કલાકના સત્ર બાદ દરેક બાળકોને ગૌતમ પ્રસાદ કરાવવામાં આવેલ ત્રણેય દિવસ માટેનો આ લાભ માતૃશ્રી પ્રફુલાબેન રમેશચંદ્ર દફતરી અને માતૃશ્રી ગીતાબેન ગુણવંતભાઈ સંઘવી પરિવારે લીધો છે તો પ્રથમ દિવસની પ્રભાવનાનો લાભ માતૃશ્રી મલ્લિકા પ્રફુલભાઈ મહેતા, અને માતૃશ્રી ઉષાબેન કાંતિલાલ મહેતા મોર્બીએ લીધો હતો.સંઘ પ્રમુખ નવીનભાઈ દોશી, આદિ પદાધિકારીઓએ વિશેષ રીતે ધર્મ પ્રભાવના કરીને આગામી પેઢીને જૈન ધર્મના વારસાનું ગૌરવ વધારવા તમામ પ્રકારની સહાય કરવા ગુરૂદેવોને વિનંતી કરી છેૐ






Latest News