મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ


SHARE











મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ

પુ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘ સોની બજાર મોરબીના ઉપક્રમે શાસન સૈનિક શિબિરમાં આઠ વર્ષથી ઉપરના ૮૭ વિદ્યાર્થીઓને ૩ દિવસની શિબિરમાં પ્રથમ દિવસે પુ. શ્રી વર્ધમાન સ્વામીએ જ્ઞાનના વિષયમાં જૈન તત્વ દર્શન સાથે કર્મ, ભક્તિ, બલિદાન અને જ્ઞાનની આશાતનાથી બચીને ઉપાસના દ્વારા બુદ્ધિવર્ધક ઉપાયોની ધારણા કરવા પ્રેરણા કરી હતી અને ઉપાસના દ્વારા બુદ્ધિવર્ધક ઉપાયોની ધારણા કરવા પ્રેરણા કરી હતી અને પુ. સતીજીઓએ પણ જ્ઞાન-ગમ્મત સાથે ધર્મબોધ આપ્યો હતો

પ્રારંભમાં નિશાબેન પટેલે શાસનગીત સાથે જૈન ધર્મ ધ્વજ ફરકાવીને શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો ત્રણ કલાકના સત્ર બાદ દરેક બાળકોને ગૌતમ પ્રસાદ કરાવવામાં આવેલ ત્રણેય દિવસ માટેનો આ લાભ માતૃશ્રી પ્રફુલાબેન રમેશચંદ્ર દફતરી અને માતૃશ્રી ગીતાબેન ગુણવંતભાઈ સંઘવી પરિવારે લીધો છે તો પ્રથમ દિવસની પ્રભાવનાનો લાભ માતૃશ્રી મલ્લિકા પ્રફુલભાઈ મહેતા, અને માતૃશ્રી ઉષાબેન કાંતિલાલ મહેતા મોર્બીએ લીધો હતો.સંઘ પ્રમુખ નવીનભાઈ દોશી, આદિ પદાધિકારીઓએ વિશેષ રીતે ધર્મ પ્રભાવના કરીને આગામી પેઢીને જૈન ધર્મના વારસાનું ગૌરવ વધારવા તમામ પ્રકારની સહાય કરવા ગુરૂદેવોને વિનંતી કરી છેૐ






Latest News