મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ


SHARE











મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ

લેન્સકાર્ટના માલિક દ્વારા હિન્દુ વિરોધી માનસિકતા જેવો પરિપત્ર કરવામાં આવેલ છે તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના આગેવાનો રવાપર રોડ પર આવેલ લેન્સકાર્ટના શોરૂમ પર પહોચ્યા હતા અને ત્યાં હિન્દુ કર્મચારીઓને તિલક કરીને સમગ્ર લેન્સકાર્ટનો વિરોધ કર્યો હતો.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો હાલમાં જે લેન્સકાર્ટના માલિક પિયુષ બંસલ દ્વારા કંપની રુલરેગયુંલેશન પરિપત્ર રાખવામા આવેલ છે તેમાં લખ્યું છે કે, શો-રૂમ ઉપર હિન્દુ કર્મચારીઓને તિલક ન કરવું, શિખા ન રાખવી, હાથમાં કલાવા ન બાંધવા અને સ્ત્રીઓને બિન્દી ન લગાડવી તેમજ મુસ્લિમ કર્મચારી હિજાબ પહેરી શકે આવી હિન્દુ વિરોધી માનસિકતાના લીધે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઠેરઠેર તેનો ઉગ્ર વિરોધ કરીને હિન્દુ સમાજને જાગૃત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આવા નિર્ણયને ભારતનો હિન્દુ સમાજ કોઈપણ પ્રકારે સાંખી લેશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. અને મોરબી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના આગેવાનો સોમવારે સાંજે 7 કલાકે મોરબીના રવાપર રોડ પર આવેલ લેન્સકાર્ટના શોરૂમ પર પહોચ્યા હતા અને ત્યાં હિન્દુ કર્મચારીઓને તિલક કરીને સમગ્ર લેન્સકાર્ટનો વિરોધ કર્યો હતો આ તકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને કમલેશભાઈ બોરિચાએ મોરબી સહિત દેશના લોકોને અપીલ કરતાં કહ્યું  હતું કે, એક હિન્દુ યોદ્ધ તરીકે કોઈએ પણ લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેન્સની ખરીદી કરવી જોઈએ તેવી અપીલ કરી હતી.






Latest News