મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા


SHARE











વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા

વાંકાનેરના સમથેરવા ગામની સીમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના શરીર ઉપર મારના નિશાન હતા અને પ્રાથમિક તપાસમાં યુવાનનું મોત માર મારવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું જેથી હાલમાં સમથેરવા ગામના સરપંચની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે અને બીજી બાજુ મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પણ ચક્રોગતિમાન કર્યા છે.

વાંકાનેરના સમથેરવા ગામના સરપંચ વિજયભાઈ બચુભાઈ ઉકેડીયા (33) હાલમાં અજાણ્યા શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે સમથેરવા ગામની સીમમાં સરકારી ખરાબની જગ્યામાં તા. 8/4 ના રોજ સવારે 11:00 વાગ્યાના અરસામાં અજાણ્યા 40 થી 50 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના શરીર ઉપર મારના નિશાન જોવા મળતા હતા જેથી આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને મૃતક યુવાનને કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ લાકડાના ધોકા વડે શરીરે આડેધડ મારમારીને ગંભીર જાઓ કરવામાં આવી હોય જેથી તે યુવાનનું મોત નીપજયું હોવાનું સામે આવ્યું છે અને હત્યા કરીને મૃતક યુવાનના મૃતદેહને સમથેરવા ગામની સીમમાં જાળી જાખરામાં નગ્ન હાલતમાં ફેંકી ગયેલ છે જેથી આ બનાવ સંદર્ભે હાલમાં સરપંચે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે સાથોસાથ મૃતક યુવાનની ઓળખ મળેલ નથી જેથી તેના શરીર ઉપર બનાવવામાં આવેલ ટેટૂ તેમજ તેને પહેરેલા કપડાં વિગેરે ઉપરથી મૃતક યુવાનનું ઓળખ મેળવવા માટે જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.






Latest News