મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત


SHARE













વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત

વાંકાનેરની જુની દાણાપીઠમાં દુકાન ધરાવતા કરિયાણાના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરીને વધુ નફો અપાવવાની રાજકોટના શખ્સે લાલચ આપી હતી જેથી યુવાને જૂન 2025 માં કુલ મળીને છ લાખ રૂપિયાનું કાજુના ધંધામાં રોકાણ કર્યું હતું જોકે તે રૂપિયા યુવાનને પાછા આપવામાં આવ્યા નથી અને યુવાનની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે જેથી ભોગ બનેલા યુવાને હાલમાં રાજકોટના શખ્સ સહિત તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના નવા કણકોટ ગામે રહેતા અયુબભાઈ ઇસ્માઈલભાઈ શેરસીયા (32)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સબીરહુશેન મહમદભાઈ કાસમાણી રહે. ન્યુ ઘાંચીવાડ શેરી નં. 8 રાજકોટ તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેની વાંકાનેરમાં આવેલ જૂની દાણા પીઠમાં સંજરી ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાન આવેલ છે અને આરોપીએ ફરિયાદી સાથે પારિવારિક સંબંધ બનાવીને તેને વિશ્વાસમાં લઈને જૂન 2025 માં કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કમાવવાની લાલચ આપી હતી જેથી ફરિયાદીએ સમયાંતરે કુલ મળીને 6 લાખ રૂપિયાનું રોકાણ પોતાની ફાઈવસ્ટાર ડ્રાયફ્રુટ પેઢીના એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના કરંટ એકાઉન્ટમાંથી રુપિયાનું રોકાણ કર્યું હતું અને રોકાણની સામે વધુ નફો આપવાની લાલચ આપી હતી જો કે આજ દિવસ સુધી ફરિયાદીને આરોપીએ તેને રૂપિયા પણ પાછા આપેલ નથી જેથી યુવાનની સાથે વિશ્વાસઘાત કરવામાં આવેલ હોય ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાળક સારવારમાં
મોરબીના રવાપર ગામે શક્તિ ટાઉનશીપમાં ગોકુલધામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા પરિવારનો આયુષ રાજેન્દ્રભાઈ પરિહાર નામનો ત્રણ વર્ષનો બાળક રમતા રમતા ફીનાઈલ પી ગયો હોય તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રવાપર રોડ કેનાલ ચોકડી નજીક સાયકલમાંથી પડી જતા ત્યાં રહેતા અનિલ સુનિલભાઈ પરિહાર (૨૨) ને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના શનાળા રોડ ચંદ્રેશનગર પાસે આવેલ વાડી વિસ્તારમાં રહેતા છગનભાઈ ગોવિંદભાઈ પરમાર નામના ૬૫ વર્ષના વૃદ્ધ  કેનાલ રોડ ખાતે બાઈકમાંથી પડી જતા ઇજા પામેલ હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.તેમજ ટંકારા ખાતે આવેલ મલ્ટીપ્લેક્સ કારખાનામાં લેબર કોટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની મમતાબેન કુલદીપભાઈ પાલ નામની ૨૨ વર્ષીય મહીલા હેરડાઈ પી જતા તેણીને મોરબીની ખાનગી હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી.પોલીસે બનાવોની નોંધ કરી રાબેતા મુજબ તપાસ કરી હતી.






Latest News