મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

વાંકાનેરના સમથેરવા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, શરીર ઉપર ઇજાના નિશાન: માળીયા (મી)ના નવાગામે વાડીએ ઝેરી દવા પી યુવાનનો આપઘાત


SHARE











વાંકાનેરના સમથેરવા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, શરીર ઉપર ઇજાના નિશાન: માળીયા (મી)ના નવાગામે વાડીએ ઝેરી દવા પી યુવાનનો આપઘાત

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાંથી અજાણીયા 25 થી 30 વર્ષના યુવાનનો મળી આવ્યો છે અને મૃતક યુવાનના શરીર ઉપર ઇજાના નિશાન જોવા મળતા હોય વાંકાનેર તાલુકા પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ હાથ ધરેલ છે જ્યારે માળિયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું છે

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીપરીયાળી નામની ખરાબાની જગ્યામાં કોઈ અજાણ્યા 25 થી 30 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તે યુવાનના શરીર ઉપર ઇજાના નિશાનો પણ જોવા મળતા હતા જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની વિજયભાઈ ઉકેડીયા (33) રહે. સમથેરવા વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાની ઓળખ મેળવવા માટે હાલમાં તજવીજ ચાલુ હોવાનું જાણવા મળેલ છે.

માળીયા મીયાણાના નવાગામની સીમમાં આવેલ વલ્લભભાઈ બાવરવાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ગોરધનભાઈ વિસીયાભાઈ રાઠવા (45) નામના યુવાને કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતુ.ત્યારબાદ તેના મૃતદેહને માળીયા (મી) ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે






Latest News