મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ


SHARE







હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ

હળવદના ચરાડવા ગામે કારખાનેદારને ગાંજાના ખોટા કેશમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને તેની પાસેથી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી જેથી કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગત ફેબ્રુઆરી માહિનામાં વાસુદેવભાઈ સોનાગ્રાએ લાલા શાંતીભાઈ પરમાર તથા મેહુલ ભરવાડ બન્ને સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓના કારખાનાં ગાંજાને સળગાવવામાં આવેલ છે તેવું કહીને બંને આરોપીઓએ પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જો રૂપિયા ન આપે તો ગાંજા/ NDPS ના ગંભીર પ્રકારના ખોટા કેશમાં ફસાવી દેવાની તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ હતી જેથી કરીને વાસુદેવભાઈની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી માટે તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં પોલીસે પત્રકાર મેહુલ મશરૂભાઈ ભરવાડ રહે. સુનીલનગર હળવદ વાળાની ધરપકડ કરી છે અને વધુમાં હળવદના પીઆઇએ જણાવ્યુ હતું કે, હાલમાં પકડાયેલ આરોપીની અગાઉ કેમિકલ ચોરીના ગુનામાં પણ ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, આરોપી મેહુલ ભરવાડ પાસે પત્રકારત્વને લગત કોઇપણ પ્રકારની ડિગ્રી નથી અને કોઈ કોર્સ પણ કરેલ નથી. આ કામગીરી પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ પીએસઆઈ આર.બી.ટાપરીયા અને એસ.એચ.ભટ્ટ તથા સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.






Latest News