મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા
SHARE
મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીના રસ્તા ઉપર કેનાલની બાજુમાં રોડ બનાવવા માટેની કામગીરી ચાલુ છે અને તે રોડના કામમાં નડતરરૂપ થતા દબાણોને તોડી પાડવા માટેની કામગીરી આજે હાથ ધરાઈ હતી અને પાકા તથા કાચા બાંધકામોને બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવેલ છે. અને આગામી સમયમાં પણ મોરબીમાં કોઈપણ જગ્યાએ સરકારી જમીન ઉપર દબાણ કરેલા હશે તો તેને તોડી પાડવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું છે
મોરબી મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારની અંદર સમયાંતરે ડીમોલેસનની કામગીરી કરવામાં આવતી હોય છે જોકે હાલમાં ચૂંટણી આચારસહિત અમલમાં હોવાના કારણે ડિમોલેશનની કામગીરી ઉપર બ્રેક લગાવવામાં આવી છે પરંતુ મોરબીમાંથી પસાર થતી મચ્છુની કેનાલની સાઈડમાં રોડ બનાવવા માટેની કામગીરી મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે અને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલથી લઈને દલવાડી સર્કલ સુધીનો જે રો બની રહ્યો છે તે રોડના કામમાં નડતરરૂપ થાય તે રીતે પાકા બાંધકામ ત્યાં કરવામાં આવેલ હતા જેથી જુદા જુદા આસામીઓ દ્વારા બે ફૂટથી લઈને છ ફૂટ સુધી રોડની જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણને તોડી પાડવા માટે આજે મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મહાપાલિકાનું બુલડોજર પાકા બાંધકામો ઉપર ફરી વળ્યું હતું અને તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા છે વધુમાં મળતી વિગત પ્રમાણે અધિકારીએ જણાવ્યું છે કે આગામી સમયમાં મોરબીના કોઈપણ વિસ્તારમાં સરકારી જમીન ઉપર કોઈપણ વ્યક્તિએ દબાણ કર્યું હશે તો તે દબાણ દૂર કરવા માટેની કામગીરી મહાપાલિકા દ્વારા કરવામાં આવનાર છે જેથી લોકો સ્વેચ્છાએ સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરે તેવી તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે









