મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઇકને હડફેટે લઈને આધેડનું મોત નીપજવનાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











મોરબી નજીક બાઇકને હડફેટે લઈને આધેડનું મોત નીપજવનારા ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ટિંબડી ગામના પાટીયા પાસે ત્રીપલ સવારી બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં એક આધેડનું મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ હતા આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં ત્રાજપરની પાછળના ભાગમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા ભગવાનજીભાઈ ખોડાભાઈ ધંધાણીયા (23)એ હાલમાં ટ્રક ટ્રેલર નંબર જીજે 39 ટી 1750 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી ફરિયાદીના પિતા ખોડાભાઈ કાનજીભાઈ ધંધાણીયા (52) તથા મનોજભાઈ રાંદલપરા અને સંજયભાઈ દેગામા ત્રણેય વ્યક્તિઓ બાઈક નંબર જીજે 13 ટીપી 6013 ઉપર જઈ રહ્યા હતા દરમ્યાન મનોજભાઈ બાઇક ચલાવતા હતા અને ફરિયાદીના પિતા અને સંજયભાઈ પાછળના ભાગે બેઠેલા હતા દરમ્યાન ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને મોઢા તથા શરીરે ગંભીર ઈજા થઇ હતી જેથી તેનું મોત નીપજયું છે. જ્યારે મનોજભાઈને પગમાં ગંભી ઇજા થઈ હતી અને સંજયભાઈને સામાન્ય ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવેલ છે હાલમાં મૃત્યુ પામેલા આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News