મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન


SHARE











મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન

મોરબીના બેલાભરતનગર રોડ ઉપર આવેલ શ્રી ખોખરા હનુમાનજી મંદિરે નેચરોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને 7 દિવાસીય શિબિરનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે આયોજકોએ આહવાન કર્યું છે.

મોરબી નજીક આવેલ ખોખરા હનુમાનજી મંદિરે ખાતે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી દ્વારા સંચાલિત કેશવ કાયાકલ્પ કેન્દ્ર દ્વારા 7 દિવસીય નિઃશુલ્ક નેચરોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માર્ગદર્શન તરીકે ડૉ. રાજેશભાઈ પટેલ દ્વારા તા 9 થી 15 સુધી સેવા આપવામાં આવશે અને આ શિબિરની વિશેષતાની વાત કરીએ તો 7 દિવસની નેચરોપેથી શિબિરમાં નવી ભોજન પ્રથાનું માર્ગદર્શન આપશે, આ શિબિર સંપૂર્ણ નિઃશુલ્ક છે, પ્રાકૃતિક ઉપચાર, આહાર અને જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને સવારે 6 થી 8 સુધી શિબિરમાં યોગ પ્રાણાયામ,
9 થી 12 તજજ્ઞનું પ્રવચન, 12:15 ગ્રીન જ્યુસ, 12:30 થી 1:30 પ્રવચન, 1:30 થી ફળાહાર અને આરામ, 3:00 પ્રવચન, 5:00 રસાહાર, 5:15 થી પ્રવચન અને પ્રશ્નોતરી, 7:00 ફળાહાર, 7:30 થી રાસ ગરબા અને 9:30 શયન નું આયોજન કર્યું છે અને આ શિબિરથી દવાઓ વગર સ્વાભાવિક રીતે લોકોનું આરોગ્ય સુધારશે, વજન ઘટાડવા અને ડિટોક્સ કરવા માંગતા લોકોને ફાયદો થશે.






Latest News