આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન મોરબી જિલ્લામાં વસતા ગરીબ કુટુંબની ઝુંપડપટીઓને રેગ્યુલાઈઝ કરો : લાલજી મહેતા મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મ્યુઝિકલ તંબોલાનો કાર્યક્રમ યોજાયો મોરબી પીજીવીસીએલની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલની સજા વાંકાનેરના ભલગામ પાસે મૃત હાલતમાં મળી આવેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ મોરબી જિલ્લામાં માવઠાની આગાહી; ખેડૂતોને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન


SHARE











મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન

મોરબીના બેલાભરતનગર રોડ ઉપર આવેલ શ્રી ખોખરા હનુમાનજી મંદિરે નેચરોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને 7 દિવાસીય શિબિરનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે આયોજકોએ આહવાન કર્યું છે.

મોરબી નજીક આવેલ ખોખરા હનુમાનજી મંદિરે ખાતે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી દ્વારા સંચાલિત કેશવ કાયાકલ્પ કેન્દ્ર દ્વારા 7 દિવસીય નિઃશુલ્ક નેચરોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માર્ગદર્શન તરીકે ડૉ. રાજેશભાઈ પટેલ દ્વારા તા 9 થી 15 સુધી સેવા આપવામાં આવશે અને આ શિબિરની વિશેષતાની વાત કરીએ તો 7 દિવસની નેચરોપેથી શિબિરમાં નવી ભોજન પ્રથાનું માર્ગદર્શન આપશે, આ શિબિર સંપૂર્ણ નિઃશુલ્ક છે, પ્રાકૃતિક ઉપચાર, આહાર અને જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને સવારે 6 થી 8 સુધી શિબિરમાં યોગ પ્રાણાયામ,
9 થી 12 તજજ્ઞનું પ્રવચન, 12:15 ગ્રીન જ્યુસ, 12:30 થી 1:30 પ્રવચન, 1:30 થી ફળાહાર અને આરામ, 3:00 પ્રવચન, 5:00 રસાહાર, 5:15 થી પ્રવચન અને પ્રશ્નોતરી, 7:00 ફળાહાર, 7:30 થી રાસ ગરબા અને 9:30 શયન નું આયોજન કર્યું છે અને આ શિબિરથી દવાઓ વગર સ્વાભાવિક રીતે લોકોનું આરોગ્ય સુધારશે, વજન ઘટાડવા અને ડિટોક્સ કરવા માંગતા લોકોને ફાયદો થશે.






Latest News