મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન


SHARE







વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન

કહેવાય છે કે 'સેકન્ડોની કિંમત જિંદગી સમાન હોય છે', અને આ વાક્યને વાંકાનેર IFT 108 ની ટીમે સાર્થક કરી બતાવ્યું છે. એક ગંભીર મેડિકલ કટોકટીમાં 108 ની ટીમે 'ગોલ્ડન અવર'નો સચોટ ઉપયોગ કરી, મરણમુખમાં રહેલા એક માસૂમ શિશુને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી નવું જીવન આપ્યું છે.

વાંકાનેર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડૉ. અલ્તાફ દ્વારા એક 'ક્રિટિકલ કોડ' જાહેર કરવામાં આવ્યો હતો. દયાબેન ગિરીષભાઈના શિશુનો જન્મ માત્ર 10 મિનિટ પહેલા જ થયો હતો, પરંતુ તેની સ્થિતિ અત્યંત નાજુક હતી. બાળકને જન્મજાત શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લડ શુગર જેવી જોખમી સ્થિતિ હતી. બાળકની જિંદગી બચાવવા માટે તેને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવું અનિવાર્ય હતું. અને હોસ્પિટલથી મોરબી સુધીનો રસ્તોએ માત્ર મુસાફરી નહીં, પણ જીવન-મરણ વચ્ચેનો જંગ હતો. IFT વાંકાનેર 108 ના EMT પ્રવીણભાઈ મેરે જરા પણ વિચલિત થયા વગર ERCP ડૉ. જે.ડી. પટેલ સાથે સંપર્ક કરી ઓનલાઈન માર્ગદર્શન મેળવ્યું હતું અને પ્રોટોકોલ મુજબ ઓક્સિજન સપોર્ટ શરૂ કર્યો હતો અને  ઓરલ દ્વારા જરૂરી D25 ટકા 5 એમએલ સારવાર આપી બાળકના વાઈટલ્સ મેઈન્ટેન કર્યા હતા. બીજી તરફ, એમ્બ્યુલન્સના પાયલોટ લાલજીભાઈએ પોતાની ડ્રાઈવિંગ કુશળતાનું પ્રદર્શન કરી, ટ્રાફિક વચ્ચેથી સમય મર્યાદામાં એમ્બ્યુલન્સને સુરક્ષિત રીતે મોરબી સિવિલ પહોંચાડી હતી મોરબી સિવિલના ડૉ. નીતિન સાહેબે 108ની ટીમની 'પ્રી-હોસ્પિટલ કેર'ની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જો ટીમે સમયસૂચકતા ન વાપરી હોત તો શિશુનો જીવ બચાવવો મુશ્કેલ હતો. ભાવુક બનેલા પરિવારજનોએ 108 ના જવાનોને 'સુપરહીરો' ગણાવી તેમનો આભાર માન્યો હતો.






Latest News