મોરબી નજીકથી પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલે: વધુ બે ની ધરપકડ મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ કર્યો આપઘાત મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજમાં યુવતીઓ માટે જાગૃતિનો સેમીનાર યોજાયો મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઇ મોરબીમાં રિપેરિંગ માટે 33 દિવસથી બંધ રાખવામા આવેલ પાડાપુલ કામ પૂરું થઈ જતાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકયો વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ કર્યો આપઘાત


SHARE













મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ કર્યો આપઘાત

મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ જોધપરથી લીલાપર ગામ તરફ જવાનો જે મુખ્ય પુલ છે તે પુલ ઉપરથી યુવતીએ નીચે ઝંપલાવ્યૂ હતું જેથી પાણીમાં ડૂબી જવાના લીધે તે યુવતીનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે

મૂળ માળિયા તાલુકાના નાનાભેલા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ નંદનવન સોસાયટી શકુન એપાર્ટમેન્ટ ખાતે રહેતા ધરતીબેન કાંતિલાલ વાઘડિયા (29) નામની યુવતીએ મોરબીના મચ્છુ-2 ડેમ પાસે જોધપર ગામથી લીલાપર ગામ તરફ આવવા માટેનો જે મુખ્ય પુલ છે તે પુલ ઉપરથી નીચે મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવતીનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ ત્યાંથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. ગરીયા દ્વારા કરવામાં આવી હતી અને સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીની સગાઈ તૂટી ગઈ હતી જોકે તેને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગરમાં રહેતો યસ સંજયભાઈ (28) નામનો યુવાન મોરબીના લાલપર ગામ પાસે આવેલ સરદાર એસ્ટેટ પાસે હતો ત્યારે ત્યાં અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જયારે મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા જલાભાઇ સિંધાભાઈ ગોલતર (42) નામનો યુવાન લાલપર નજીકથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News