મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદ: છોકરી સાથેના પ્રેમસબંધથી જાણ થઈ જતાં પિતાએ ઠપકો આપતા યુવાને કેનાલમાં ઝંપલાવ્યુ-મોત


SHARE











હળવદ: છોકરી સાથેના પ્રેમસબંધથી જાણ થઈ જતાં પિતાએ ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત

ધાંગધ્રાના જુના ઘનશ્યામગઢ ગામે રહેતા યુવાનને છોકરી સાથે પ્રેમસંબંધ હતો અને તે બાબતની યુવાનના પિતાને જાણ થઈ હતી જેથી તેઓએ યુવાનોને ઠપકો આપ્યો હતો અને આ બાબતે લાગી આવતા યુવાને હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ધાંગધ્રાના જુના ઘનશ્યામગઢ ગામના રહેવાસી અભી ઘનશ્યામભાઈ કૈલા (22) નામના યુવાને હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં પોતે પોતાની જાતે ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા ઘનશ્યામભાઈ ગાંડાભાઇ કૈલા (54)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ તરીકે પાસ જી.એચ.જીડીયા દ્વારા કરવામાં આવી હતી. જો કે, પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ હતો અને તે અંગેની મૃતક યુવાનના પિતાને જાણ થઈ ગઈ હતી જેથી તેઓએ યુવાનને ઠપકો આપ્યો હતો અને તે બાબતે યુવાનને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધેલ છે તેવું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂનો આથો ઝડપાયો

માળીયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં નદીના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નસરુદ્દીન ઈશાકભાઈ જેડા રહે. નવાગામ વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News