મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે કોલસા ભરેલ ટ્રેલર રીક્ષા ઉપર પલટી મારી ગયું, એકનું મોત, ચારને ઇજા


SHARE













મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે કોલસા ભરેલ ટ્રેલર રીક્ષા ઉપર પલટી મારી ગયું, એકનું મોત, ચારને ઇજા

મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે સર્વિસ રોડ પાસે ઉતારવાની જગ્યાએ અકસ્માત સર્જાયો છે જેમાં કોલસા ભરેલો ટ્રેલર જુદીજુદી બે રિક્ષા ઉપર પલટી મારી ગયું હતું જેથી કરીને રીક્ષા દબાઈ જતા તેમાં બેઠેલા એક રિક્ષા ચાલકનું સ્થળ ઉપર જ મોત નીપજયું છે જો કે, અન્ય રિક્ષા ચાલક સહિત ચારેક લોકોને ઇજા થતાં તેને સારવારમાં ખસેડાયેલ છે અને હજુ પણ ઇજાગ્રસ્તનો આંકડો વધે તેવી શક્યતા છે

મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે કોલસો ભરેલ ટ્રેલર પસાર થતું હતું ત્યારે ટે વાહન અચાનક જ પલટી મારી ગયું હતું ત્યારે બે ઓટો રીક્ષા ટ્રેલર ની છે દબાઈ ગઈ હતી જેથી કરીને મૂળ સુરેન્દ્રનગરના ખેરવા ગામના અને હાલમાં મોરબીના સામાકાંઠે આવેલ કાંતિનગરમાં રહેતા રીક્ષા ચાલક સુલતાનશાહ રમજુશા દીવાન (ઉ.૪૧) નામના યુવાનનું મોત નીપજયું છે અને અન્ય ચારેક લોકોને ઇજાઓ થયેલ છે જેમાં રીક્ષા ચાલક હિતેશ શાંતિલાલ રાવળદેવ (૩૦) રહે, વાંકાનેર , ચંદનસિંહ સુનારસિંગ (૨૦) અને નવીનસિંહ કરિયાસિંગ (૨૧) રહે, બંને ઓડિશા વાળાનો સમાવેશ થાય છે અને હજુ પણ ઇજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને ટ્રેલરમાથી ઢોળાયેલ કોલસા નીચે દટાયેલાં રિક્ષા હટાવવા માટે અને કોઈ દબાયું હોય તો તેને કાઢવા માટે જેસીબીની મદદ લેવાં આવી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News