ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં


SHARE











હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં

હળવદ માંથી પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે 40 વર્ષના યુવાનનું મોત નિપજ્યું છે જ્યારે મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલા યુવાનને શોધવા છતાં મોડી સાંજ સુધી તેનો કોઈ પતો લાગેલ નથી જેથી ફાયરની ટીમ દ્વારા આજે સવારથી ફરી કેનાલમાં યુવાનની શોધખોળ હાથ ધરશે.

હળવદ શહેરમાં વનવગડો હોટલની પાછળથી પસાર થતી નર્મદાની કેનાલમાં હળવદના કણબીપરા ખાતે રહેતા જયસુખભાઈ દિલાભાઈ પટેલ (40) નામનો યુવાન ન્હાવા માટે ગયો હતો ત્યારે કોઈ કારણોસર કેનાલમાં ડૂબી ગયો હતો આજેથી કરીને આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલમાં ડૂબી ગયેલા યુવાને શોધવા માટેની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન તેના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં રાજસ્થાની યુવાન કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલમાં ડૂબી ગયેલ યુવાનને શોધવા માટેની શોધખોળ હાથ ધરી હતી જોકે કેનાલમાં ડૂબી ગયેલ વ્યક્તિનો મોડી સાંજ સુધી કોઈ પતો લાગ્યો ન હતો જેથી આજે સવારથી ફાયરની ટીમ દ્વારા ફરીથી શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી માહિતી ફાયર વિભાગના અધિકારી જયેશ ડાકી પાસેથી જાણવા મળેલ છે.






Latest News