મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરે એસિડ પી ગયેલ મહિલાને ઝાડા-ઉલટી થઈ જતાં સારવારમાં મોત


SHARE











વાંકાનેરમાં ઘરે એસિડ પી ગયેલ મહિલાને ઝાડા-ઉલટી થઈ જતાં સારવારમાં મોત

વાંકાનેરના ભરવાડપરા શેરી નં-7 માં રહેતી મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તેને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા માટે તે મહિલાને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે પરણીતાનું મોત નીપજ્યું હતું અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

વાંકાનેરના ભરવાડપરા શેરી નં-7 માં રહેતા અવધૂતભાઈ ભુપતભાઈ સરૈયાના પત્ની રૂપલબેન સરૈયા (25એ ગત તા. 23 ના રોજ રાત્રે દસેક વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લીધું હતું જેથી તે મહિલાને ઝાડા ઉલટી થવા લાગતા તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. કે.એચ.ભોચીયા ચલાવી રહ્યા છે અને મહિલાએ કયા કારણોસર એસિડ પીધું હતું તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે

મારામારીમાં ઇજા થતાં સારવારમાં

મોરબીના રોહીદાસપરા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ઈજાગ્રસ્તોમાં રામજીભાઈ મોહનભાઈ આંબલીયા (63) તથા તેમના ભાઈનો દીકરો અને તેના પરિવારના ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી જ્યારે સામે પક્ષેથી કાંતિલાલ લાલજીભાઈ આંબલીયા (50)ને ઈજા થતાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News