મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરે એસિડ પી ગયેલ મહિલાને ઝાડા-ઉલટી થઈ જતાં સારવારમાં મોત


SHARE













વાંકાનેરમાં ઘરે એસિડ પી ગયેલ મહિલાને ઝાડા-ઉલટી થઈ જતાં સારવારમાં મોત

વાંકાનેરના ભરવાડપરા શેરી નં-7 માં રહેતી મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તેને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા માટે તે મહિલાને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે પરણીતાનું મોત નીપજ્યું હતું અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

વાંકાનેરના ભરવાડપરા શેરી નં-7 માં રહેતા અવધૂતભાઈ ભુપતભાઈ સરૈયાના પત્ની રૂપલબેન સરૈયા (25એ ગત તા. 23 ના રોજ રાત્રે દસેક વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લીધું હતું જેથી તે મહિલાને ઝાડા ઉલટી થવા લાગતા તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. કે.એચ.ભોચીયા ચલાવી રહ્યા છે અને મહિલાએ કયા કારણોસર એસિડ પીધું હતું તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે

મારામારીમાં ઇજા થતાં સારવારમાં

મોરબીના રોહીદાસપરા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ઈજાગ્રસ્તોમાં રામજીભાઈ મોહનભાઈ આંબલીયા (63) તથા તેમના ભાઈનો દીકરો અને તેના પરિવારના ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી જ્યારે સામે પક્ષેથી કાંતિલાલ લાલજીભાઈ આંબલીયા (50)ને ઈજા થતાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News