મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર: મહામંત્રીમાં નિર્મલભાઈ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઈ મકવાણાની વરણી મોરબીની મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા ડાઉનસ્ટ્રીમ બ્રીજના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપારામાં 9.37 કરોડના ખર્ચે પીવાના પાણીની નવી પાઇપ લાઇનની કામગીરી હાથ ધરાઇ મોરબીમાં શિવરાત્રીના દિવસે જાહેરનામાનો ભંગ કરીને કતલખાના ચાલુ રાખનારા-નોનવેજનું વેચાણ કરનારાઓ સામે પગલાં લેવા વિહિપ- બજરંગ દળની માંગ મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્ય દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબી મહાનગરપાલિકાના આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો મોરબીની ધી.વી.સી હાઇસ્કૂલ અને વિવેકનંદ કન્યા શાળામાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાશે મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યની દીકરીનો જન્મદિવસ બાળકોને આનંદ અપાવીને ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં મૃત્યુ પામેલા પરિવારને મળતા ધારાસભ્ય વિમલ ચુડાસમા: આરોપીઓ વહેલી તકે નહીં પકડાઈ તો મુદો વિધાનસભામાં ગુંજશે


SHARE













મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં મૃત્યુ પામેલા પરિવારને મળતા ધારાસભ્ય વિમલ ચુડાસમા: આરોપીઓ વહેલી તકે નહીં પકડાઈ તો મુદો વિધાનસભામાં ગુંજશે

મોરબીના રંગપર ગામ નજીક આવેલ બંધ કારખાનામાં પાતરા અને એંગલ ઉતારવા માટેની કામગીરી ચાલી રહી હતી ત્યારે કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા શ્રમિક યુવાનનું મોત નીપજયું હતું જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારખાનેદાર સહિત પાંચ શખ્સો વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો છે. તેવામાં ગઇકાલે કોળી સમાજના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આવેલ હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માટે પોલીસને સૂચના આપી હતી અને આ મુદો વિધાનસભામાં ઉઠાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

મોરબી તાલુકાનાં રંગપર ગામ પાસે ગત તા. 11 ફેબ્રુઆરીના રોજ બંધ પડેલા લુકાસો સિરામિકમાં રાત્રિના સમયે પાતરા અને એંગલ ઉતારવા માટેનું કામ કરવામાં આવી રહયું હતું અને જોખમી કામ કરતાં હતા તો પણ સેફ્ટીના કોઈ સાધનો રાખવામા આવેલ ન હતા યુવાન કેંચી (એંગલ) કટિંગનું કામ કરાવતી વખતે 25 ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પડ્યો હતો જેથી વિક્રમભાઈ પાટડિયા (35) નામના યુવાનનું મોત નીપજયું હતું અને આ યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા ત્યારે રાજ્ય સેવકને ખોટી માહિતી આપવામાં આવી હતી જેથી કરીને તા 14 ના રોજ કારખાનેદાર અંબારામભાઈ રંગપરિયા અને જીતેન્દ્રભાઈ રંગપરિયા તેમજ કામ રાખનાર જયદીપ પટેલ, હિરેન પટેલ અને ગોપાલભાઈ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના સાળાએ ફરિયાદ નોંધાવેલ છે તેવામાં ગઇકાલે મોડી રાતે ધારાસભ્ય વિમલ ચુડાસમા મૃતક યુવાનના પરિવારજનોની મુલાકાતે આવ્યા હતા અને તેઓને સાંત્વના આપી હતી. અને ત્યારબાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એસ.કે.ચારેલને રજૂઆત કરવા માટે પહોચ્યા હતા અને આ ગુનામાં આરોપીઓને વહેલી તકે પકડવામાં નહીં આવે તો પ્રશ્ન વિધાનસભામાં તેઓ દ્વારા ઉઠાવવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી અને તેમજ આ બનાવમાં પેનલ પીએમ અને મોતનું સાચું કારણ સ્પષ્ટ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.






Latest News