ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો


SHARE







માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો

માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે કાંટાની વાડમાંથી આવેલ નોળિયો તે યુવાનને સાથળના ભાગે કરડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં જરૂરી રસી આપીને સારવાર કરવામાં આવી હતી ત્યારબાદ યુવાન હાલમાં પરત પોતાના ઘરે જતો રહ્યો છે પરંતુ અવારનવાર આવા બનાવો બનતા હોવાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

સામાન્ય રીતે કુતરા બચકા ભરે, ગાય બચકા ભરે, ઘોડા બચકા ભરે આવા બનાવો જુદી જુદી જગ્યાએથી અવારનવાર સામે આવતા હોય છે પરંતુ મોરબી જિલ્લાની વાત કરીએ તો માળિયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામમાં નોળીયાનો આતંક હોય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે થોડા દિવસો પહેલા માળીયા તાલુકાના મોટાભેલા ગામે રહેતા જશુબેન રેવાભાઇ ખીટ (71) નામના વૃદ્ધ મહિલાનું મોત નીપજયું હતું અને આ વૃદ્ધાને 6 મહિના પહેલા નોળિયો કરડી ગયો હતો જેની અસર થવાથી તેને થોડા દિવસો પહેલા સારવાર માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં તે વૃદ્ધનું મોત નીપજયું હતું. આ બનાવની શાહી સુકાઈ નથી ત્યાં બુધવારે સાંજના સમયે મોટાભેલા ગામે રહેતા અલ્પેશભાઈ કેશવજીભાઈ કલોલા નામનો યુવાનને નોળિયો કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જરૂરી રસી આપીને સારવાર કરવામાં આવી હતી ત્યાર બાદ યુવાન હાલમાં પોતાના ઘરે જતો રહ્યો છે વધુમાં મળતી વિગત પ્રમાણે અલ્પેશભાઈ કલોલા સાંજે તેના વાડામાં ડીઝલ નાખવાનું કામ કરી રહ્યા હતા ત્યારે વાડમાંથી આવીને નોળિયાએ તેને સાથળના ભાગે બચકું ભર્યું હતું જેથી તેની પકડાને છોડાવવા માટે નોળિયાને લાતો મરવામાં આવી ત્યાર બાદ નોળિયાએ યુવાનનો પગ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 માહિનામાં આ ગામમાં લોકોને નોળિયા કરડી જવાનો આ ચોથો બનાવ છે અને અગાઉ જે ત્રણ લોકોને નોળિયા કરડી ગયા હતા તેમાંથી એક વૃદ્ધ મહિલાનું મોત નીપજયું છે જેથી કરીને હાલમાં વધુ એક બનાવ બનતા ગામમાં મહિલાઓ, બાળકો સહિતના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.






Latest News