મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો


SHARE











માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો

માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે કાંટાની વાડમાંથી આવેલ નોળિયો તે યુવાનને સાથળના ભાગે કરડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં જરૂરી રસી આપીને સારવાર કરવામાં આવી હતી ત્યારબાદ યુવાન હાલમાં પરત પોતાના ઘરે જતો રહ્યો છે પરંતુ અવારનવાર આવા બનાવો બનતા હોવાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

સામાન્ય રીતે કુતરા બચકા ભરે, ગાય બચકા ભરે, ઘોડા બચકા ભરે આવા બનાવો જુદી જુદી જગ્યાએથી અવારનવાર સામે આવતા હોય છે પરંતુ મોરબી જિલ્લાની વાત કરીએ તો માળિયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામમાં નોળીયાનો આતંક હોય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે થોડા દિવસો પહેલા માળીયા તાલુકાના મોટાભેલા ગામે રહેતા જશુબેન રેવાભાઇ ખીટ (71) નામના વૃદ્ધ મહિલાનું મોત નીપજયું હતું અને આ વૃદ્ધાને 6 મહિના પહેલા નોળિયો કરડી ગયો હતો જેની અસર થવાથી તેને થોડા દિવસો પહેલા સારવાર માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં તે વૃદ્ધનું મોત નીપજયું હતું. આ બનાવની શાહી સુકાઈ નથી ત્યાં બુધવારે સાંજના સમયે મોટાભેલા ગામે રહેતા અલ્પેશભાઈ કેશવજીભાઈ કલોલા નામનો યુવાનને નોળિયો કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જરૂરી રસી આપીને સારવાર કરવામાં આવી હતી ત્યાર બાદ યુવાન હાલમાં પોતાના ઘરે જતો રહ્યો છે વધુમાં મળતી વિગત પ્રમાણે અલ્પેશભાઈ કલોલા સાંજે તેના વાડામાં ડીઝલ નાખવાનું કામ કરી રહ્યા હતા ત્યારે વાડમાંથી આવીને નોળિયાએ તેને સાથળના ભાગે બચકું ભર્યું હતું જેથી તેની પકડાને છોડાવવા માટે નોળિયાને લાતો મરવામાં આવી ત્યાર બાદ નોળિયાએ યુવાનનો પગ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 માહિનામાં આ ગામમાં લોકોને નોળિયા કરડી જવાનો આ ચોથો બનાવ છે અને અગાઉ જે ત્રણ લોકોને નોળિયા કરડી ગયા હતા તેમાંથી એક વૃદ્ધ મહિલાનું મોત નીપજયું છે જેથી કરીને હાલમાં વધુ એક બનાવ બનતા ગામમાં મહિલાઓ, બાળકો સહિતના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.






Latest News