મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ


SHARE







હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ

હળવદ તાલુકાના વાંકીયા ગામ પાસેથી ઘોડાધ્રોઈ નદી પસાર થાય છે અને તે નદીમાંથી ખાનગી વીજ કંપનીની લાઈન પસાર થાય છે જેથી વીજ પોલ ઉભો કરવા માટેની કામગીરી હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે અગાઉ આ કામગીરીને ગ્રામજનો દ્વારા રોકવામાં આવી હતી પરંતુ હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા બળજબરી પૂર્વક કામ કરવામાં આવતું હોય સરપંચની આગેવાની હેઠળ ગામના આગેવાનો અને ખેડૂતો દ્વારા કલેક્ટરને રજૂઆત કરીને આ કામ રોકવા માટેની માંગ કરવામાં આવી છે અને કંપની દ્વારા મંજૂરી વગર કામગીરી કરવામાં આવતી હોય તો તેની સામે કાયદેસરની ફરિયાદ કરવા માટેની કલેકટરે કહ્યું હતું જેથી ગામના લોકોએ કોન્ટ્રાકટર સામે ફરિયાદ કરવા માટેની તૈયારી કરી છે

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર ખાનગી વીજ કંપની દ્વારા તેઓના વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને તેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે જેમાં કેટલીક જગ્યાએ વળતરને લઈને વિરોધ કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ મંજૂરી વગર બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવતી હોવાના કારણે આ કામનો વિરોધ કરવામાં આવતો હોય છે તેવામાં હળવદ તાલુકાના વાંકીયા ગામે આવેલ ધોડાધ્રોઇ નદીમાંથી પાવર ગ્રીડ કંપનીની વીજ લાઈન પસાર થાય છે અને તેના માટે થઈને વીજ પોલ ઉભો કરવા માટેની કામગીરી હાલમાં બળજબરીપૂર્વક કરવામાં આવી રહી છે જેથી કરીને વાંકીયા ગામના સરપંચ લીલાબેન બટુકભાઈ દેત્રોજાની આગેવાની હેઠળ ગામના આગેવાનો તથા ખેડૂતો દ્વારા મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવીને ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર નદીમાં ખાનગી વીજ કંપનીનો વીજપોલ ઉભો કરવા માટેની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા બળજબરીપૂર્વક કરવામાં આવી રહી છે તેની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કલેક્ટર જણાવ્યું હતું કે ત્યાં વીજ પોલ ઉભો કરવા માટેની કોઈ મંજૂરી આપવામાં આવેલ નથી જો મંજૂરી વગર વીજ પોલ ઉભો કરવામાં આવતો હોય તો તેની સામે પોલીસ ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. જેથી કરીને ગામના આગેવાનો દ્વારા હવે ગેરકાયદેસર વીજપોલ ઉભો કરવા માટેની કામગીરી જો કોન્ટ્રાકટર દ્વારા બંધ કરવામાં નહીં આવે તો હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવશે તેવી ચીમકી ઉતારવામાં આવી છે.






Latest News