ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં 3.08 કરોડની કિંમતના દારૂ બિયારના જથ્થા ઉપર રોડ રોલર ફરી વળ્યું મોરબી આગવી ઓળખ સ્થાપિત કરે તે માટે સંકલિત પ્રયાસો કરવા મંત્રીની મહાપાલિકાના મેયર-સભ્યોને ટકોર તેરા તુજકો અર્પણ: વાંકાનેર સિટી પોલીસે રોકડ, મોબાઈલ અને બાઇક સહિત લાખોનો મુદામાલ અરજદારોને પરત કર્યો
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામ પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જતાં રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત


SHARE







મોરબીના જાંબુડીયા ગામ પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જતાં રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામના દશામાના ગેટ પાસેથી પગપાળા ચાલીને જતાં યુવાનનું અજાણ્યા વાહને અડફેટે લીધો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનનું મૃત્યુ નિપજયું છે હાલમાં મૃતક યુવાનના કૌટુંબીક ભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે બિહારનો઼ શિવાંગ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડિયા ગામે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા રાજુપ્રસાદ નારાયણપ્રસાદ કુશ્વાહ (૩૭) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓનો કૌટુંબીક ભાઈ અશોકપ્રશાદ ક્રિષ્ણપ્રશાદ કુશવાહ (૨૩) જાંબુડીયા ગામમાં દશામાના ગેટ પાસેથી નેશનલ હાઈવે રોડ ઉપર પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટે લેતા ઇજા થઇ હતી જેથી કરીને ઈજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News