મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન


SHARE







મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન

મોરબીમાં રવાપર રોડે આવેલ બેંક ઓફ બરોડાની શાખા ખાતે બેંકના કર્મચારીઓ દ્વારા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના રાષ્ટ્રવ્યાપી આહવાનને પગલે પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુય અને પાંચ દિવસના બેંકિંગની પડતર માંગને લઈને કર્મચારીઓએ સરકારની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
 
આ તકે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના મોરબી યુનિટના કન્વીનર અને આઈએનબીઓસી ગુજરાત સ્ટેટના પ્રમુખ મહેન્દ્ર પોપટે કહ્યું હતું કે, વર્ષ 2015 માં સરકારે બીજા અને ચોથા શનિવારની રજા આપી ત્યારે વચન આપ્યું હતું કે નજીકના ભવિષ્યમાં તમામ શનિવાર રજા જાહેર કરાશે. અને વર્ષ 2024 માં ઇન્ડિયન બેંક્સ એસો. પણ આ માંગ સાથે સહમત થયું હોવા છતાં સરકાર હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવેલ નથી અને સરકાર તમામ સરકારી યોજનાઓનું ભારણ બેંકર્સ પર નાખે છે, પરંતુ કર્મચારીઓના હિતના નિર્ણયો લેવામાં વિલંબ કરી રહી છે. વધુમાં જણાવ્યુ હતું કે, આરબીઆઇ, સરકારી કચેરીઓ, ઇન્સ્યોરન્સ સેક્ટર અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં પાંચ દિવસનું કામકાજ ચાલે છે ત્યારે બેંકો સાથે અન્યાય કેમ ? જો સરકાર ટૂંક સમયમાં આ અંગે યોગ્ય જાહેરાત નહીં કરે તો આગામી દિવસોમાં આ આંદોલન કરવાની ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.






Latest News