મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન


SHARE











મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન

મોરબીમાં રવાપર રોડે આવેલ બેંક ઓફ બરોડાની શાખા ખાતે બેંકના કર્મચારીઓ દ્વારા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના રાષ્ટ્રવ્યાપી આહવાનને પગલે પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુય અને પાંચ દિવસના બેંકિંગની પડતર માંગને લઈને કર્મચારીઓએ સરકારની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
 
આ તકે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના મોરબી યુનિટના કન્વીનર અને આઈએનબીઓસી ગુજરાત સ્ટેટના પ્રમુખ મહેન્દ્ર પોપટે કહ્યું હતું કે, વર્ષ 2015 માં સરકારે બીજા અને ચોથા શનિવારની રજા આપી ત્યારે વચન આપ્યું હતું કે નજીકના ભવિષ્યમાં તમામ શનિવાર રજા જાહેર કરાશે. અને વર્ષ 2024 માં ઇન્ડિયન બેંક્સ એસો. પણ આ માંગ સાથે સહમત થયું હોવા છતાં સરકાર હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવેલ નથી અને સરકાર તમામ સરકારી યોજનાઓનું ભારણ બેંકર્સ પર નાખે છે, પરંતુ કર્મચારીઓના હિતના નિર્ણયો લેવામાં વિલંબ કરી રહી છે. વધુમાં જણાવ્યુ હતું કે, આરબીઆઇ, સરકારી કચેરીઓ, ઇન્સ્યોરન્સ સેક્ટર અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં પાંચ દિવસનું કામકાજ ચાલે છે ત્યારે બેંકો સાથે અન્યાય કેમ ? જો સરકાર ટૂંક સમયમાં આ અંગે યોગ્ય જાહેરાત નહીં કરે તો આગામી દિવસોમાં આ આંદોલન કરવાની ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.






Latest News