ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન


SHARE











મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન

મોરબીમાં રવાપર રોડે આવેલ બેંક ઓફ બરોડાની શાખા ખાતે બેંકના કર્મચારીઓ દ્વારા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના રાષ્ટ્રવ્યાપી આહવાનને પગલે પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુય અને પાંચ દિવસના બેંકિંગની પડતર માંગને લઈને કર્મચારીઓએ સરકારની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
 
આ તકે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના મોરબી યુનિટના કન્વીનર અને આઈએનબીઓસી ગુજરાત સ્ટેટના પ્રમુખ મહેન્દ્ર પોપટે કહ્યું હતું કે, વર્ષ 2015 માં સરકારે બીજા અને ચોથા શનિવારની રજા આપી ત્યારે વચન આપ્યું હતું કે નજીકના ભવિષ્યમાં તમામ શનિવાર રજા જાહેર કરાશે. અને વર્ષ 2024 માં ઇન્ડિયન બેંક્સ એસો. પણ આ માંગ સાથે સહમત થયું હોવા છતાં સરકાર હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવેલ નથી અને સરકાર તમામ સરકારી યોજનાઓનું ભારણ બેંકર્સ પર નાખે છે, પરંતુ કર્મચારીઓના હિતના નિર્ણયો લેવામાં વિલંબ કરી રહી છે. વધુમાં જણાવ્યુ હતું કે, આરબીઆઇ, સરકારી કચેરીઓ, ઇન્સ્યોરન્સ સેક્ટર અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં પાંચ દિવસનું કામકાજ ચાલે છે ત્યારે બેંકો સાથે અન્યાય કેમ ? જો સરકાર ટૂંક સમયમાં આ અંગે યોગ્ય જાહેરાત નહીં કરે તો આગામી દિવસોમાં આ આંદોલન કરવાની ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.






Latest News