મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન


SHARE













મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત સતત સમર્પિત સેવા અને ઉત્તમ કામગીરી બદલ ડૉ. અમિત ઘેલાણીને મોરબી જિલ્લાના શ્રેષ્ઠ RBSK ડૉક્ટરતરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા છે. આ સન્માન તેમના માનવતાભર્યા અભિગમ, નિષ્ઠાવાન કામગીરી અને બાળકોના આરોગ્ય માટેની અવિરત સેવાનું પ્રતિબિંબ છે.

ઉલેખનીય છે કે, ડૉ. અમિત ઘેલાણી  તથા ડૉ.શિતલ જાની દ્વારા આંગણવાડી, શાળાઓ અને વિવિધ વિસ્તારોમાં બાળ સ્વાસ્થ્ય તપાસ દરમિયાન ગંભીર અને વિશેષ સારવારની જરૂરિયાત ધરાવતા બાળકોને સમયસર ઓળખી, યોગ્ય માર્ગદર્શન, રેફરલ તથા સારવાર માટે અસરકારક રીતે કામગીરી કરવામાં આવી છે. તેમના કાર્યથી અનેક બાળકોને યોગ્ય સમયે નિદાન અને સારવાર મળતા જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.

અત્યારસુધીની તેમની નોંધપાત્ર કામગીરી ઉપર નજર કરીએ તો હૃદય સંબંધિત સમસ્યાના ૮૯ બાળકો, મગજ અને કરોડરજ્જુ સંબંધિત સમસ્યાના ૪ બાળકો, પગ અને પગના તળિયા સંબંધિત સમસ્યાના ૩૯, ડાઉન સિન્ડ્રોમના , જન્મજાત બહેરાશના ૧૩, મોઢા/ જીભ/ હોઠ/ તાળવું (લિપ-પેલેટ) સંબંધિત વિકૃતિના ૧૪, કુપોષણના ૧૨, કિડની સંબંધી સમસ્યાના ૧૩, થેલેસેમિયા મેજરના , કેન્સરના અને અન્ય ૨૩ તદુપરાંત ચાલુ વર્ષે આમાંથી 25 થી વધારે જન્મજાત ખામીવાળા બાળકોને ઓળખી તેની સારવાર ચાલુ કરાવેલ છે.

ડૉ. અમિત ઘેલાણી તથા ડૉ.શિતલ જાનીની આ સેવાઓ માત્ર આરોગ્ય તપાસ સુધી સીમિત નથી રહી, પરંતુ બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે તેમણે સમયસર માર્ગદર્શન, ફોલો-અપ અને પરિવારોને જરૂરી સહાય પહોંચાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ ડૉ. અમિત ઘેલાણી તથા ડૉ.શિતલ જાનીનું મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ, શાળા પરિવાર તથા સમગ્ર સમાજ તરફથી હાર્દિક અભિનંદન વ્યક્ત કરવામાં આવે છે. તેમની સેવાભાવના અને સમર્પણ અન્ય આરોગ્ય કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ સ્થાપિત થયું છે.






Latest News