​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

નવલખી પોર્ટ ઉપરથી કોલસાની ચોરીના પ્રયાસમાં ચાર આરોપીની ધરપકડ


SHARE













નવલખી પોર્ટમાં જીએમબીના પ્લોટ નંબર-૩ માં અદાણી કંપની દ્વારા ઇમ્પોર્ટ કરેલ કોલસો પ્લોટમાં પડયો હતો અને આ કોલસને ચોરી જવા માટે કારસો રચવામાં આવ્યો હતો જેથી કરીને કંપનીના કર્મચારી દ્વારા માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્ટાફને માર મારીને કોલસાની ચોરી કરવાનો પ્રયાસ કરનારા શખ્સોની સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો જેના આધારે પોલીસે હાલમાં ચારેય આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના નવલખી પોર્ટમાં જીએમબીના પ્લોટ નંબર-૩ માં અદાણી કંપની દ્વારા ઇમ્પોર્ટ કરેલ કોલસો પ્લોટમાં પડયો હતો અને તેઓની કંપનીની પાવતી હોય તો જ ત્યાંથી માલ (કોલસો) ભરી આપો તેવી સૂચના હતી છતાં પણ ચાર લોકોએ અદાણીની જગ્યામાં પડેલ કોલસામાંથી કોલસો ઉપાડી જવાનો કારસો રચ્યો હતો અને તે માટે ગાડી મોકલી હતી અને ત્યાં રહેલા સાહેદને માર મારવામાં આવ્યો હતો બાદમાં અદાણી કંપનીના રવાપર રોડ ટવીન ટાવર ફ્લેટ નંબર-૨૦૨ માં ઇન્ચાર્જે અજય છેદીલાલ જયસ્વાલ ક્ષત્રિય (૩૫) દ્વારા ચાર લોકોની સામે માળીયા(મિં.) પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખવ્યું હતું એક આરોપી રામદેવસિંહ સુરૂભા ઝાલા રહે.મોટા દહિસરાજાકુબ ઇસાક નાગીયા રહે. જામનગરસુનિલ રાજુ જોશી રહે.મોટા દહીસરા તેમજ વાહન નંબર જીજે ૩ બીટી ૭૧૮૩ નો ડ્રાઇવર અદાણી કંપની દ્વારા ઈમ્પોર્ટ કરાયેલો કોલસો નવલખી બંદર રહેલ યુએસએલ શિપમેન પાસે રાખવામાં આવ્યો હતો અને તેમના પ્લોટમાં જે કોલસાનો જથ્થો પડયો હતો ત્યાંથી આરોપીઓ દ્વારા પોતાના વાહનમાં કોલસો ચોરી જવાના ઇરાદે કારસો રચવામાં આવ્યો હતો અને કોલસો ચોરી કરી જવાના ઉદ્દેશથી વિરમભાઈને ગાળો બોલી માર માર્યો હતો અને ફડાકા ઝીંકી દીધા હતા. કારણ કે ત્યાં પ્લોટમાં કોલસો ભરવા માટે અદાણી કંપનીનો સિક્કો લગાવેલી પાવતી આપે તો જ પાર્ટીને કોલસાનો જથ્થો ભરી દેવામાં આવતો હતો જો કે, આ આરોપીઓએ વિરમભાઈને કોઈપણ જાતની પાવતી બતાવ્યા વગર જ પોતાના વાહનમાં કોલસો ભરી જવા માટે કારસો રચ્યો હતો જેની જાણ ફરીયાદી અજયભાઈ જેસ્વાલને થતાં તેને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે માળીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમાએ ચોરીમારામારી અને ધમકીની કલમો નોંધાયેલા ગુનામાં રામદેવસિંહ સુરૂભા ઝાલા રહે.મોટા દહિસરાજાકુબ ઇસાક નાગીયા રહે. જામનગરસુનિલ રાજુ જોશી રહે.મોટા દહીસરા તેમજ વાહન નંબર જીજે ૩ બીટી ૭૧૮૩ નો ડ્રાઇવર વિજા ઉર્ફે ચકો મગનભાઇ સાલાણી રહે, વવાણિયા વાળાની ધરપકડ કરેલ છે

 






Latest News